ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલા વરસાદ બાદ અમદાવાદમાં વાતાવરણ પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે શહેરીજનોને ગરમીમાંથી થોડી રાહત મળશે. મહત્વપૂર્ણ છે કે ગઈ કાલે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો જેને કારણે ઘણા વૃક્ષો ધરાશાઈ થયા હતા અને પાકને મોટુ નુકશાન પણ થયું હતું. તો બીજી બાજૂ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો જેને લઈને કેરીના પાકને નુકશાન થયું છે. ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
