ઇન્સ્ટિટયૂટ ઓફ સીસ્મિક રિસર્ચ (ISR), ભૂકંપ ત્રાટકે તેની ૪૦ સેકન્ડ પહેલાં લોકોને તેમના મોબાઇલ પર SMS મારફતે એલર્ટ- સાવધ કરીને ઘર કે ઓફિસના બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માટેની તક પૂરી પાડશે. ગાંધીનગરમાં ISR એડવાન્સ અર્થક્વેક વાર્નિંગ (EEW) સિસ્ટમ પર કામ કરી રહી છે અને તેનો હેતુ નાગરિકોને તેમના મોબાઇલ પર ૪૦ સેકન્ડ પહેલાં ભૂકંપ વિશે આગોતરી જાણ કરીને તેમની કીમતી જિંદગી અને ગેસ, વીજળીની લાઈન જેવી મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવાનો છે.
લગભગ ૨૦ વર્ષ પહેલાં ૨૦૦૧ની .૨૬ જાન્યુઆરીના રોજ સવારે બનેલી વિનાશક ભૂકંપની દુર્ઘટનાને આજે પણ અમદાવાદીઓ ભૂલ્યા નથી. પ્રજાસત્તાક દિનની સવારે કેટલાંક લોકો જાહેર રજાને લીધે મીઠી નીંદર માણી રહ્યાં હતાં ત્યારે વિનાશક ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી અને આ ગોઝારી ઘટનામાં કેટલાંક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને માલ-મિલકતનું ભારે નુકસાન થયું હતું. જો બધું સમુંસૂતરું પાર પડે તો