અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ સરદારધામ ખાતે આજરોજ મુખ્યમંત્રીએ સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અને ત્યારબાદ ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો પ્રારંભ થયો હતો. આ બિઝનેસ સમિટમાં આવેલા પાટીદાર ઉદ્યોગપતિઓ અને મહેમાનોનું ગુલાબની પાંખડીઓથી સરદારધામ અને આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં આજરોજ વિજય રુપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો પ્રારંભ કર્યો હતો. ત્રણ દિવસ ચાલનાર આ સમિટમાં 10 હજાર જેટલા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિક હાજર રહેવાના છે. તો બીજી બાજુ પ્રથમ સમિટ યોજાયું હતું તે ખૂબ નાના પાયે હતું. પણ આ વખતે આ આયોજન મોટા પાયે કરવામાં આવ્યુ છે. આ સમિટમાં 750 જેટલા સ્ટોલ હશે. તો સમિટમાં તમામ સમાજને આમંત્રણ આપેલું છે જેમાં સ્પોન્સર અને સ્ટોલ ધારકોમાં અન્ય સમાજના 10 ટકા લોકોએ ભાગ લીધો છે
આ વખતે ખેડૂતલક્ષી અને ડેરી ઉદ્યોગ અને મહિલાઓને 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે આ સમિટમાં સ્ટોલ આપવામાં આવ્યા છે. સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ સમિટમાં વિવિધ વક્તાઓ પણ ભાગ લેશે. સમિટમાં દેશ-વિદેશના પાટીદાર ઉદ્યોગપતિઓ જોડાશે. 32 કંપનીઓ 6 હજાર જોબ ઓફર કરશે. અને ધો.10-12 અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને 7 લાખનું સુધીનું પેકેજ મળશે.