હવે કોરોના નિયંત્રિત થતા બધા શહેરો અનલોક થઇ ગયા છે આવામાં તહેવારોનો ખુબ જ રસ જોવા મળ્યું છે આગામી દિવસોમાં દિવાળી તહેવાર આવી રહ્યું છે ત્યારે ગુજરાત વાહન વ્યવહાર વિભાગે લોકોને મુસાફરી કરવામાં તકલીફ ન થાય તે માટે વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે.ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.ટી.બસોનુ ભાડું 25 ટકા વધુ થશે સાથે સાથે 1500 જેટલી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.સુરત વિભાગમાં 1200 જેટલી બસો અને અમદાવાદ શહેરમાં 150 રોજની બસો દોડશે.અત્યાર સુધી 300 જેટલી બસોનું બુકિંગ પણ થઇ ગયું છે.
એસટી નિગમની આ યોજના 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ચાલશે
દિવાળી તહેવાર આવતા ગુજરાત એસ.ટી.નિગમે 1500 જેટલી બસોનુ સંચાલન કર્યું છે.જેમાં સુરત વિભાગે 1200 અને અમદાવાદ વિભાગે 300 બસ કાર્યરત રહેશે. જે બસોની શરૂઆત 29 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી ચાલશે.
જ્યારે નિગમને ગયા વર્ષે વધારાની બસોના સંચાલનથી રૂ.4 કરોડ 46 લાખની આવક થઈ હતી, ત્યારે આ વર્ષે નિગમને વધારાની બસોના સંચાલનથી રૂ.5-6 કરોડની કમાણી કરવાનો લક્ષ્યાંક છે. છેલ્લા 15 વર્ષથી વધારાની બસો માટે 25% વધુ ભાડા સાથે વધારાની બસો ચલાવવામાં આવી રહી છે. દર વર્ષે દિવાળી અને હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત પરિવહન વિભાગ પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને વધારાની એસટી બસો ચલાવે છે. જેમાંથી કરોડોની આવક થાય છે.
તહેવારો પર પ્રવાસીઓ વતન તરફ જતા હોય છે
સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓ રાજ્યના વિવિધ ભાગોમાં તેમના વતન જવાની રાહ જોઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે અમદાવાદથી પંચમહાલ દાહોદ સૌરાષ્ટ્ર. જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી પંચમહાલ, દાહોદ. આ ઉપરાંત સૌરાષ્ટ્રથી લઈને પંચમહાલ, દાહોદ સુધી મોટી સંખ્યામાં લોકો તહેવારને માણવા પોતાના વતન જાય છે.તેમની સગવડતા માટે એસ.ટી.નિગમે તેમની સુવિધા માટે વધારાની બસોનું સંચાલન કર્યુ છે.