કોરોનાને લઈને આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના સિનિયર IAS અધિકારીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જયંતિ રવિની ટીમના આઇ.એ.એસ હારિત શુક્લાને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
રાજ્યના સિનિયર આઈએએસ હારિત શુક્લા કોરોના સંક્રમિત થયા છે. તેઓ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી છે અને તેમને કોરોના પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચ્યો છે. મહત્વપૂર્ણ છે કે તેઓ છેલ્લા અઢી મહિના જેટલા સમયથી આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા.
આરોગ્ય વિભાગમાં કાર્યરત હોવાના કારણે તેઓ છેલ્લા અઢી મહિના જેટલા સમયથી રાજ્યમાં કોરોનાના સંક્રમણને લઈ થતી આરોગ્ય વિભાગની મિટીંગોમાં તે સતત હાજર રહેતા, કોવિડ-19 હોસ્પિટલોની મુલાકાત પણ લેતા હતા. આ સમયે તેઓ ડોક્ટરો સાથે અને અન્ય આરોગ્યકર્મીઓના સંપર્કમાં રહ્યા હતા. જો કે તેઓ આ સમય દરમિયાન મળ્યા હોય તેવા કોઈ અધિકારીને કોરોનાના કોઈ જ લક્ષણો નથી તેથી આ વાત ચિંતાજનક નથી.