કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે સાધુ માધવપ્રિયદાસનું નામ કમી કરાવ્યુ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્વામિનારાયણ મંદિરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થયા છે. આ માહિતી તેમના જ શિષ્યોએ મંદિરમાં રજૂ કરી હતી. તેઓ પહેલી માર્ચે ડાંગરવાની પરિણીતાને લઇને ફરાર થઇ ગયા હતાં.
અગાઉ પણ માધવપ્રિયદાસનાં ગુરૂ સિદ્ધસ્વર ઉપર પણ સિદ્ધપુર ગુરૂકુળમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનાં આક્ષેપો થયા હતા. જેમાં સ્થાનિકોએ ઢોર માર મારી સાધુને પોલીસનાં હવાલે કર્યા હતાં.