અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાની સારવાર માટે વધુ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં અમદાવાદ શહેરની બહારથી આવેલા દર્દીઓની સારવાર થઈ શકશે. અત્યાર સુધી આ માટે શહેરમાં 59 હોસ્પિટલો કાર્યરત હતી.
આ મામલે અમદાવાદના કોવિડ ઈન્ચાર્જ ડૉ રાજીવ કુમાર ગર્ગની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યૂન્સિપલ કમિશનર મુકેશ કુમારની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવે.
શાહીબાગ, ચંદ્રમણી હોસ્પિટલ
વિરાટનગર, શિવાલિક હોસ્પિટલ
વસ્ત્રાલ, સુમિત્રા હોસ્પિટલ
ચાંદલોડિયા, કેર પ્લસ હોસ્પિટલ
ગોતા, સિટી પ્લસ હોસ્પિટલ
સોલા, શાલિન હોસ્પિટલ
નરોડા, સનરાઈઝ હોસ્પિટલ
મણિનગર, લિટલ ફ્લૉવર હોસ્પિટલ એન્ય યુરે કેર હોસ્પિટલ
ખોખરા, પ્રમુખ હોસ્પિટલ
પાલડી, પાર્થ હોસ્પિટલ
નારણપુરા, ગુરુપ્રેમ હોસ્પિટલ
નવરંગપુરા, ટર્નિંગ પૉઈન્ટ હોસ્પિટલ