અમદાવાદમાં કોરોનાનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તરફ સૌથી પહેલાં જાહેર પરિવહનમાં પરિક્ષણ શરૂ કરાયું હતું. જે બાદ તહેવારો શરૂ થતાં ધાર્મિક સ્થળો પર ટેસ્ટીંગ કરાયું અને હવે પછી સ્કુલ બોર્ડના શિક્ષકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
એએમસી દ્વારા તમામ સ્કૂલ બોર્ડના શિક્ષકોને સર્વેની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી તેઓ અનેક લોકોનાં સંપર્કમાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા ઝોન પ્રમાણે તમામ શિક્ષકોનું રેપિડ કિટથી ટેસ્ટીંગ શરૂ કરાયું હતું. જેમાં આજે પાલડી સ્કાઉટ ભવન ખાતે દક્ષિણ ઝોનના તમામ શિક્ષકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.
639 શિક્ષકોનું રેપિડ કિટથી પરિક્ષણ કરવામાં આવ્યું હતું. અને તેઓનાં કોરોના ટેસ્ટમાંથી 16 શિક્ષકો પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. હવે દક્ષિણ ઝોન બાદ વિવિધ ઝોનનાં શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હાલ આ તમામ શિક્ષકો સારવાર હેઠળ છે.