‘શેપીંગ અ ન્યૂ ઈન્ડિયા’ થીમ અંતર્ગત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019માં નૂતન ભારતના નિર્માણ માટે ગુજરાતના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત થશે ત્યારે પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનનું ક્ષેત્ર આ વખતે રોકાણકારો માટે ઊર્જાવાન ક્ષેત્ર સાબિત થશે. પ્ય ઊર્જા ક્ષેત્રે અંદાજે ૧૦૦ ગીગા વોટની ઉત્પાદન ક્ષમતાને પ્રાપ્ત કમર કસી છે. આ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળવાનું છે .
સમિટ – 2019માં આ વખતે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા “ગુજરાત અને ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રહેલી તકો” વિષય પર તારીખ 20 જાન્યુઆરી 2019 ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિનારનું યોજાશે આ સેમિનારનો હેતુ ન્યૂ ઈન્ડિયાના નિર્માણમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની ભૂમિકા અંગે વિચાર-વિમર્શ કરવાનો છે.
કેન્દ્ર સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવઆનંદ કુમાર ઉપસ્થિત રહેશે સેમિનારના માધ્યમથી નીતિ નિર્માતાઓ, વ્યાપાર જગતના વિશ્લેષકો, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણકારોને વિશ્વભરના નીતિ નિર્માતાઓ અને વેપાર જગતના નિષ્ણાતોને સાંભળવાની તેમજ વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક સાંપડશે. ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના ડિરેક્ટર જનરલ ઉપેન્દ્ર ત્રિપાઠી ભારતમાં સૌર શક્તિના વિકાસ અંગે રહેલી તકો પર પોતાના મંતવ્ય રજૂ કરશે.
સૌથી મહત્વની વાત એ છે કે, વિશ્વના 121 દેશો ધરાવતા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) રચવામાં ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારત સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયે પેરિસ ક્લાયમેટ સમજૂતી મુજબ વર્ષ 2022 સુધીમાં દેશમાં 175 ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનું જે લક્ષ્ય રાખ્યુ છે તેને સમયમર્યાદા પહેલાં પહોંચી વળવા આયોજન કર્યુ છે એટલું જ નહીં વર્ષ 2022 સુધીમાં 227 ગીગા વોટનું ઊર્જા ઉત્પાદન કરવાનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે.