વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, લોક ડાઉનનો કડક અમલ કરવાની સૂચના પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે.કેન્દ્ર સરકાર તરફથી દિલ્લી મસ્જિદની ઘટના લઇ ચેકીગ ચાલુ છે. સુરતમાં અને અમદાવાદમાંથી 12 લોકોને પકડી લેવામાં આવ્યા છે.
શિવાનંદ ઝાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ 25 ગુના દાખલ કરી કુલ 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેમણે લૉકડાઉન દરમિયાન કોઈપણ ધાર્મિક તહેવાર કે અન્ય કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન ન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, લૉકડાઉન સુધી ત્યાં સુધી ધાર્મિક કાર્યક્રમની ઉજવણી ઘરમાં જ કરો. ધાર્મિક વડાઓને પણ વિનંતી છે કે લોકડાઉન પૂરું ન થાય ત્યાં સુધી ધર્મસ્થળો બે-ત્રણ થી વધારે લોકો ભેગા ન થાય તેનું પણ ધ્યાન રાખે. જો કોઈ ધર્મ સ્થળ પર બે-ત્રણથી વધુ લોકો ભેગા થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..
