ગુજરાતમાં કોરોનાનો ચેપ દિવસે અને દિવસે વધતો જઈ રહ્યો છે. તો બીજી તરફ બહોળી માત્રામાં લોકો સાજા થઈને ઘરે પણ જઈ રહ્યા છે. હવે કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસમાં અચાનક વધારો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1190 પોઝિટિવ કેસો નોંધાયા છે.
ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને હવે 91,329એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 1193 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. એ સાથે જ રાજ્યમાંથી અત્યાર સુધીમાં ઘરે સાજા થઈને જનારાની સંખ્યા 73,501 થઈ ગઈ છે. તેમજ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2964એ પહોંચ્યો છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 80.48 ટકા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યમાં 76,227 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
હાલમાં ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 14864 છે. જ્યારે વેન્ટીલેટર પર 91 દર્દીઓ તો 14773 લોકો સ્ટેબલ સ્થિતિમાં છે. 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 1193 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.