ગુજરાતમાં કોરોનાનાં કેસો હવે સતત 500ને પાર નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 511 કેસો નોંધાયા હતા. અને 29 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 442 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 23590 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1478 પર પહોંચ્યો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 16333 થયો છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 334, સુરત 76, વડોદરા 42, સુરેન્દ્રનગર 9, ગાંધીનગર 8, અરવલ્લી 6, ભરૂચ 6, ભાવનગર 3, મહીસાગર 3, આણંદ 3, અમરેલી 3, મહેસાણા 2, સાબરકાંઠા 2, પાટણ 2, ખેડા 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, પંચમહાલ 1, બોટાદ 1, નર્મદા 1, અન્ય રાજ્ય 5 કેસો નોંધાયા છે.
કોરોનાને નાથવા માટેના રાજ્ય સરકારના તમામ પ્રયાસો કારગર સાબિત થઇ રહ્યા નથી. દરમિયાન રાજ્યમાં ઓછા ટેસ્ટ થઇ રહ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. અનલોક હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ યોગ્યરીતે થઇ રહ્યું નથી. નિષ્ણાતોનું માનવું છે કે શાકભાજી અને ફ્રૂટ્સની લારીઓ દ્વારા સંક્રમણનું સ્પ્રેડિંગ વધુ થઇ રહ્યું છે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 31 જુન પછી રાજ્યમાં ફરી લોકડાઉનની શક્યતા નકારી કાઢી છે.