Gujarat મુન્દ્રામાં DRIએ લીક્વીડ કન્ટેનરમાંથી ત્રણ કરોડની સોપારીનો જથ્થો પકડ્યો દુબઈથી બેઝઓઈલ હોવાના ડિક્લેરેશન સાથે આવેલા હતા કન્ટેનર
ડીરેક્ટરોટ ઈન્ટેલીજન્સની ઓફ રેવન્યુ અમદાવાદ શાખાએ વધુ એક વાર સોપારીના મોટા કન્સાઈમેન્ટને આબાદ ઝડપી પાડ્યો હતો. સુત્રોએ જણાવ્યું બે બેઝઓઈલ હોવાનું ઓનપેપર ડિક્લેર કરાયું હતું, પણ તેની આડમાં સોપારીનો જથ્થો લીક્વીડ
કન્ટેનરમાં ઠલવાયો હતો. સોપારી કાંડની આગ હજી સુધી ઓલવાઈ નથી ત્યારે ફરી આ પ્રકારનો જથ્થો
ઝડપાતા ચકચાર મચવા પામી છે. મુંદ્રા પોર્ટના સૌરાષ્ટ્ર સીએફએસમાં સોમવારના દુબઈથી આવેલા 4 જેટલા લીક્વીડ કન્ટેનરને ડીઆરઆઈ અમદાવાદની ટીમ દ્વારા રોકીને તપાસ હાથ ધરાઈ હતી. ખરેખર તો તેમાં બેઝઓઈલ Lots લીક્વીડ હોવાનું જાહેર કરાયું હતું.પરંતુ જ્યારે રાત્રીના તપાસ હાથ ધરાઈ તો સામે આવ્યું કે અંદર સોપારીનો જથ્થો છે. …અનુસંધાન જેથી એક બાદ એક તમામ કન્ટેનરને ખોલીને તપાસ કરવાનો સીલસીલો સોમવારના મોડી રાત સુધી ચાલતો રહ્યો છે. સુત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી અંદાજે ત્રણ કરોડ જેટલી સોપારીનો જથ્થો મળી ચુક્યો છે અને આયાતકારપેઢીને રૂબરૂ હાજર થવા આદેશ કરાયો છે. નોંધવુ રહ્યુ કે સોપારીમાં ભારે ડયુટી લાગતી હોવાથી તેની બચત કરવા મોટા પાયે દાણચોરીના પ્રયાસ થાય છે. જેમાં તાજેતરમાં કસ્ટમ, પોલીસ સહિત જાણીતા વેપારીઓના હાથ પણ દાઝી ચુક્યા છે.
- સોપારી ના દાણચોરો સામેના ઓપરેશનમાં, ડીઆરઆઈએ રૂ.5.71 કરોડ,ની કિંમત નો 83.352 મેટ્રિક ટન સોપારી નો જથ્થો જપ્ત કર્યા છે. બેઝ ઓઈલ ના નામે સોપારી છુપાવી લાવવાનો પર્દાફાશ કરતી DRI
- ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા ચોક્કસ બાતમી વિકસાવવામાં આવી હતી કે યુએઈથી મુન્દ્રા પોર્ટ પર જે માલસામાન આવ્યો હતો તેમાં ખોટી રીતે જાહેર કરાયેલ કાર્ગો હશે.
- ઉપરોક્ત બાતમીના આધારે, ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓ દ્વારા કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી. કન્ટેનરની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે તમામ 738 ડ્રમમાં હતા જેમાંથી 658 ડ્રમમાં વિભાજીત સ્વરૂપમાં સોપારી નો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે 80 ડ્રમમાં તેલયુક્ત પ્રવાહી કથિત રીતે ‘બેઝ ઓઈલ’ હતું જેનો ઉપયોગ દરેક કન્ટેનરમાં એરેકા નટ્સ ધરાવતા ડ્રમને છુપાવવા કરવામાં આવ્યો હતો માટે થાય છે. ‘સોપરી નો કુલ જથ્થો 83.352 મેટ્રિક ટન હોવાનું જાણવા મળે છે
- ઘરેલું ઉદ્યોગના રક્ષણ માટે સોપારી ની આયાત પર ઊંચા ટેરિફ મૂલ્ય અને 110%ની ડ્યુટી નુ માળખું છે. તેનાથી બચવા માટે, અનૈતિક આયાતકારોએ સોપારી આયાતમાં ખોટી જાનકારી નો આશરો લીધો છે.