Gujarat: મેટા-માલિકીવાળી WhatsAppએ સોમવારે જણાવ્યું હતું કે તેણે IT (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના પાલનમાં ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં 76 લાખ 28 હજાર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં WhatsAppના 50 કરોડથી વધુ યુઝર્સ છે. ગુજરાતમાં 5 કરોડ વોટ્સ એપ ખાતા છે.
ફેબ્રુઆરી 1-29ના સમયગાળા દરમિયાન, 76 લાખ 28 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમાંથી 14 લાખ 24 હજાર એકાઉન્ટ્સને વપરાશકર્તાઓ તરફથી કોઈપણ અહેવાલ આવે તે પહેલા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં 8થી 10 લાખ એકાઉન્ટ બંધ થયા હોવાની શક્યતા છે.
દેશમાં 500 મિલિયન (50 કરોડ) વોટ્સએપ એકાઉન્ટ છે. મેસેજિંગ પ્લેટફોર્મને ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ 16 હજાર 618 ફરિયાદો થઈ હતી. રેકોર્ડ રૂપે એક્શન લેવામાં આવ્યા હતા.AI- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી મોનીટર કરતાં હોય છે. દર મહિને સરેરાશ 15 લાખ એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરે છે.
ગેંગ
એવું માનવામાં આવે છે કે જેમાં મોટાભાગના એકાઉન્ટ તો ભાજપની વિચારધારા ધરાવતી સાયબર ગેંગના હોય છે. તેઓ પ્રજાને પિડિત કરવા માટે આ ગેંગ કામ કરે છે. જેને કોઈક દ્વારા પગાર આપવામાં આવે છે, તેઓ ભાડૂતી ગુંડા જેવું વર્તન કરે છે. ઉપરાંત સાયબર ફ્રોડ કરનારી ગેંગ પણ તેમાં સામે હોય છે. મૃત્યુ પામેલા લોકોના આધારકાર્ડ પરથી આવી ગેંગ ફોન નંબર મેળવીને વોટ્સએપ એકાઉન્ટ ખોલાવે છે. જે નંબર લઈને તેઓ લોકોની છેતરપીંડી કરે છે. અનનોન નંબરો કંપની ટ્રેસ કરે છે. તેના આધારે તે બાન કરે છે. શંકાસ્પદ લાગે તે બંધ કરે છે.
પાર્થેશ પટેલ
કંપની બ્લોક કરી દે ત્યારે મેઈલ કરી શકે છે અને એક અઠવાડિયામાં જેન્યુઈન એકાઉન્ટ ચાલુ કરે છે. શંકરસિંહ વાઘેલાનું શોસિયલ મિડિયા એકાઉન્ટ સંભાળતાં પાર્થેશ પટેલ કહે છે, વોટ્સએપ હવે સ્ટ્રીક કરી નાંખ્યું છે. જોકે હવે આવા એકાઉન્ટ બંધ કરાવવામાં રાજકીય પક્ષો બહું ઓછા સક્રિય છે. કારણ કે તેમની પાસે પોતાના પ્રચાર માટે પૂરતો ડેટાબેઝ છે.
ગૃપ
વોટ્સએપના ગૃપ બનાવવામાં મેમ્બરને પૂછ્યા વગર જ્યારે તે નંબરને સભ્ય બનાવે છે ત્યારે તે તે સભ્ય ફરિયાદ કરી શકે છે. બાન કરી શકે છે. સ્પામમાં મોકલી શકે છે. પહેલાં 250 મેંબરનું ગૃપ બનતું હતું હવે મેમ્બર 1 હજાર સુધી કરી શકાય છે
પુછ્યા વગરા એડ કરે છે ત્યારે ફરિયાદ કરે છે. અને તેના આધારે બાન મૂકી દેવામાં આવે છે.
અનનોન નંબર પરથી સામે વોટ્સએપ જાય ત્યારે 5થી 7 કેસ થાય તો તેને બાન કરી દે છે. મલ્ટીપર ગૃપ બનાવીને તેમાં લીંકથી જોડાય તો બહું વાંધો આવતો નથી.
એકજ મોબાઈલ નંબર પરથી અનેક વોટ્સએપ એકાઉન્ટ ખોલાવી શકાય છે. પણ તે કોર્પોરેટ માટે છે. વોટ્સ એક જ મોબાઈ નંબર પરથી કોપ્રોરેટ બિઝનેશ માટે કરે છે. ઘણાં લોકો તેનો ઉપયોગ કરી શકે છે.
ભાજપની ચાલ
ભાજપ વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ કરે છે. જેમાં ભાજપે મીસકોલ કરીને મેમ્બર બનાવ્યા છે તેનો ભરપુર ઉપયોગ કરે છે. આવું જ આમ આદમી પક્ષ પણ મીસ કોલ દ્વારા પોતાના મેમ્બર બનાવીને વોટ્સ એપનો કાનૂની રીતે ઉપયોગ કરે છે.
રાજકીય પક્ષ ભાજપ પાસે વોટ્સએપ ગૃપ્સ બનાવેલા છે. કરોડોની સંખ્યામાં સભ્યો છે. ભાજપ પાસે ભારતમાં સૌથી વધારે ડેટા છે. મિલકોલ દ્વારા આ ડેટા એકઠા કરેલા છે. જેનો ઉપયોગ ચૂંટણીમાં કરી રહ્યો છે.
ભાજપે વોટ્સએપ ગૃપો ગામડા સુધી બનાવેલા છે. દરેક ગૃપના સત્તાવાર ઈન્ચાર્જ બનાવેલા છે. જે આવા ગૃપનું સંચાલન કરે છે. ગાંધીનગરથી નિકળેલો કોઈ એક મેસેજ કે વિડિયો ગણતરીની મીનીટોમાં ગામડાઓ સુધી તે પહોંચી જાય છે. જેમાં ભાજપના મીસ કોલ્સ ઉપરાંત દરેક ગામના કાર્યકરે ગૃપ બનાવેલાં છે ત્યાં પહોંચી જાય છે. આમ હવે ભાજપને ટેલિવિઝન, વેબસાઈટ, યુટ્યુબ, સમાચારપત્રોની કોઈ જરૂર નથી. તેઓ રોજ 5 કરોડ લોકો સુધી પોતાના સંદેશા અને વિડિયો પોતાની સીસ્ટમથી પહોંચાડે છે. બુથ સુધીના વોટ્સએપ જૂથ બનાવીને તેનું મેનેજમેન્ટ કરે છે. તેના ડેટાનો ઉપયોગ પોતાના પ્રચારમાં અને સામેના પક્ષોના અપપ્રચારમાં કરે છે.
ભાજપ પાસે ત્રીજા પ્રકારનું વોટ્સએપ મેનેજમેન્ટ સરકારના લાભાર્થિઓના ફોન નંબર પર આધારીત છે. તેના ડેટાનો ઉપયોગ અલગથી થાય છે. જે સરકારની સારી વાતોથી પ્રચાર કરે છે.
ચોથું વોટ્સએપ પ્રચાર સ્વામિ વિવેકાનંદ યુવા જૂથ દ્વારા થતો રહ્યો છે. ભાજપના મોરચાના કાર્યકર્તાઓ સરકારે પગારથી રાખીને સરકાર પોતાનો પ્રચાર કરે છે. તેનો સરકારમાંથી રૂ.10થી 20 પગાર આપવામાં આવતો હતો. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આવા 1 હજાર લોકોને રીખીને તેમને 10થી 20 હજાર પગાર આપતાં હતા. આ જૂથ સરકારના પીઆરનું કામ કરતું રહ્યું હતું.
વળી આ ગેંગ પોતે પણ ખોટી ફરિયાદો કરીને સરકારની કે કેસરી પક્ષની ટિકા કરતાં હોવાનું જણાવીને ફરિયાદો કરે છે અને એકાઉન્ટ બંધ કરાવે છે. જેમાં બ્લેક કોબરા નામના એકાઉન્ટ સૌથી વધારે સક્રિય રીતે પ્રજાને પરેશાન કરી રહ્યાં છે. ગુજરાતમાં સરકારની અને એક ચોક્કસ પક્ષની ટીકા કરતાં હોય એવા કાયમી ધોરણે 10 લાખ એકાઉન્ટ બંધ કરાવવામાં આ કોબરા અને કેસરી ગેંગનો હાથ હોવાના આરોપો પ્રતિપક્ષ દ્વારા મૂકવામાં આવે છે.
પગલાં
ફરિયાદોના આધારે પગલાં લેવામાં આવ્યા છે. તમામ ફરિયાદોનો જવાબ આપે છે. સુરક્ષા અને નિયંત્રણો ઉપરાંત દેખરેખ રાખવા માટે એન્જિનિયરો, ડેટા વૈજ્ઞાનિકો, વિશ્લેષકો, સંશોધકો અને કાયદા અમલીકરણ, ઑનલાઇન સુરક્ષા અને તકનીકી વિકાસમાં નિષ્ણાતોની ચૂકડી કામ કરે છે.
કોંગ્રેસ
કોંગ્રેસ પાસે વોટ્સએપ માટે કોઈ માળખું જ નથી. જે સોશિયલ મિડિયા સંભાળતાં હતા તેનું ભાજપે પક્ષાંતર કરાવીને પોતાની સાથે લઈ લીધા છે.
જાન્યુઆરી
કંપનીએ જાન્યુઆરી 1-31 વચ્ચે 67 લાખ 28 હજાર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. વપરાશકર્તાઓ તરફથી કોઈપણ અહેવાલો પહેલાં, આમાંથી આશરે 13 લાખ 58 હજાર એકાઉન્ટ સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
ફેબ્રુઆરી
ફેબ્રુઆરી 2024માં 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીની વચ્ચે 76 લાખ 28 હજાર વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેમાંથી 14 લાખ 24 હજાર એકાઉન્ટ કાયમ માટે બંધ કરવામાં આવ્યા હતા.
ઓગસ્ટ
ઓગસ્ટ 2023માં પ્રતિબંધિત ખાતાઓની સંખ્યા લગભગ 74 લાખ હતી.
સપ્ટેમ્બર
સપ્ટેમ્બર 2023માં કંપનીએ 71 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઓક્ટોબર
ઓક્ટોબર 2023માં 75 લાખ 48 હજાર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેમાં 19 લાખ 19 હજાર WhatsApp એકાઉન્ટ કાયમી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
નવેમ્બર 2023
મોદી સરકારના નવા IT નિયમો 2021ના પાલનમાં WhatsAppએ 1-30 નવેમ્બરની વચ્ચે 2023માં ભારતમાં 71 લાખ 97 હજાર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. લગભગ 19 લાખ 54 હજાર એકાઉન્ટ બંધ કરાયા હતા. ભારતમાં 8,841 ફરિયાદ મળી હતી.
ડિસેમ્બર
2023માં અનૈતિક ગતિવિધિઓને કારણે ભારતમાં 69 લાખ વોટ્સએપ એકાઉન્ટ્સ પર 1 થી 31 ડિસેમ્બરની વચ્ચે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતો. 16 લાખ 58 હજાર એકાઉન્ટ્સ પર કાયમી પ્રતિબંધ મૂકાયો હતો.