કોરોનાની મહામારીમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી બાબતે ચાલી રહેલા વિવાદે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સુરત રાજ્યની તમામ શાળાઓને હાલ પુરચતી વાલીઓને ફી માં રાહત આપવાની મનાઈ ફરમાવી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં ફી બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે. જેનો યોગ્ય નિર્ણય આવ્યા બાદ જ શાળાઓ પોતાની મરજીથી વાલીઓને ફી માં રાહત આપી શકશે. જે શાળાઓએ ફી માફી અંગેની જાહેરાત કરી દીધી છે તે હાલ પુરતી મુલતવી રાખવા માટે સંચાલક મંડળે તમામ શાળાઓને અપીલ કરી છે.
સુરત શહેરની 16 થી વધારે શાળાઓ સહિત ગુજરાતની અનેક શાળાઓ દ્વારા 20 ટકાથી માંડીને 100 ટકા સુધીની ફી માફી આપવામાં આવે છે. જે અંગે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા દરેક શાળાને અપીલ કરવામાં આવી છે કે હાઈકોર્ટમાં ફી અંગે પીટીશન દાખલ કરવામાં આવી છે. જેનો ચુકાદો આવ્યા બાદ વાલીઓને ફી માં કેટલી રાહત આપવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય ગણી સંસ્થાઓ મંડળની એકતા તોડવા માટે સક્રિય બનેલી છે આવા સમયે જો શાળાઓ એક રહીને નિર્ણય કરશે તો જ મંડળની એકતા જળવાઈ રહેશે. આ તમામ સ્થિતિને જોતા શાળા સંચાલક મંડળ દ્વારા હાલ ફી મફી અંગે કોઈ પણ પ્રકારની જાહરાત ન કરવા તમામ શાળાઓને અપિલ કરવામાં આવી છે.