પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સહાય કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યો આગળ આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી છે. જેને લઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યો શહીદોને રૂપિયા 1.1 લાખની સહાય કરશે. મહત્વનું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને ધારાસભ્યો પોતાનો પગાર દાનમાં આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપના ધારાસભ્યો દ્વારા પણ પુલાવામામાં થયેલા આતંકવાદીઓને સહાયની જાહેરાત કરી હતી. પ્રદેશ ભાજપ એક કરોડનું ફંડ એકઠુ કરીને શહિદોના પરિવારજનોને આપશે. ભાજપના ધારાસભ્યો શહીદોને 50-50 હજારની સહાય કરશે.
મહત્વનું છે કે, જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ પોતાની નાપાક હરકતને અંજામ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા છે. જ્યારે અનેક ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે હાલ દેશની જનતા આક્રોશમાં છે. કડક કાર્યવાહીની માગ થઇ રહી છે. બીજી બાજુ સરકાર અને સેના હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે.