ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધતા જતા કેસોની સાથે 80% કોરોના પોઝિટિવના દર્દીઓમાં લક્ષણો જણાતા ન હોવાથી સરકાર માટે એક મોટો પડકાર ઉભો થયો છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવતાં કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. પરંતુ 80% દર્દીઓ એવા છે જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે પરંતુ આ દર્દીઓમાં કોરોનાના લક્ષણો જણાતા નથી. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે કરોના પોઝિટિવના દર્દી નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ સાજા તો થઈ જાય છે પરંતુ રિલેપ્સ(સાજા થયા બાદ ફરી બીમાર પડવું) થવાનો પણ સંભાવના વધવા લાગી છે. ગુજરાતમાં રેપિડ ટેસ્ટ કીટ આવી ગઈ હોવાથી આજથી જ લેબ ટેસ્ટિંગની સાથે રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. ખાસ કરીને જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવના દર્દીઓ વધુ છે ત્યાં રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે.
Tuesday, April 30