Gujarat: 19 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પરસોત્તમ રૂપાલાનું બલિદાન નરેન્દ્ર મોદી કેમ આપતાં નથી.
22મીએ મોદી રાજકોટ આવી રહ્યાં છે. જ્યાંથી તેઓ ગુજરાતના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના છે. ત્યારે હવે ક્ષત્રિય આંદોલન મોદી તરફ ફંટાઈ રહ્યું છે. અમદાવાદ જીએમડીસી મેદાનમાં જો સંમેલન થાય તો તે મોદી સામેની સિંહ ગર્જના આખો દેશ સાંભળશે.
રાજ શેખાવતજીની અમદાવાદ એરપોર્ટ પર તાનાશાહી ઢબે અટકાયત કરવામાં આવી હતી. ત્યાર પછી ક્ષત્રિય સામાજ હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, ચંદ્રકાંત પાટીલ અને નરેન્દ્ર મોદી સામે વધારે આક્રમક બન્યો છે.
7 એપ્રિલે નરેન્દ્ર મોદી આડકતરી રીતે કંઈક બોલી રહ્યાં હતા.
બિહારના નવાદામાં એક ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પર સનાતન ધર્મનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો. અત્યાર સુધીમાં ઘણું બધું કર્યું છે…હજુ તો આ ટ્રેલર છે, આટલેથી આપણે અટકવાનું નથી. હજુ તો ગાડીને ટોપ ગિયરમાં લઈને જવાનું છે, હજુ તો આપણે રનવે પર છીએ. નવી ઉંચાઈઓને પાર કરવાની છે, હજુ તો ઘણું બધું કરવાનું બાકી છે.
રૂપાલા તો બહાનું છે
રૂપાલા તો બહાનું છે બાકી મોદી પર તીર છે. ક્ષત્રિઓમાં નારાજગી ઘણાં સમયથી હતી તે બહાર આવી છે.
વિધાનસભા
વિધાનસભામાં કાપી, મંત્રી મંડળમાં કાપી નાંખવામાં આવ્યા હતા. 22 ક્ષત્રિય નેતાઓને પાટીલ, શાહ અને મોદીએ કત્લેઆમ ચલાવી હતી. તેઓ હવે અંદરથી સામે છે. જરૂર હતી ત્યારે ક્ષત્રિયોનો ઉપયોગ કર્યો હતો. ગામડામાં ભાજપને ઘુસવા દેતાં ન હતા ત્યારે ભાજપ ટિકિટ ક્ષત્રિયોને આપતો હતો. માથભારે માણસો ગામોમાં પ્રવેશવા દેતા ન હતા. ત્યારે ક્ષત્રિયોને આગળ કરવામાં આવતાં હતા. પોરબંદરમાં પ્રવેશવા દેતા ન હતા ત્યારે આજ ક્ષત્રિયોની ચાદર ભાજપના નેતાઓ ઉચકતાં હતા. ત્યારે ક્ષત્રિયોને ટિકિટ આપતાં હતા. હવે પક્ષનો વ્યાપ વધી ગયો છે, તેથી ક્ષત્રિયોની જરૂર નથી. એવું પક્ષના નેતાઓ માની બેઠા છે. લેવા અને કડવાની ચાદર પકડીને ચાલો એવો સંદેશો ભાજપ આપી રહ્યો છે.
ભાજપને મદદ કરનારા ક્ષત્રિયોની જૂની ખીજ બહાર આવી રહી છે.
રાજ્યસભામાં જાણિતા નેતાઓને મોકલવાના બદલે વાંકાનેરમાંથી ટિકિટ આપી કે તેને કોઈ ઓળખતું નથી. તેનો રાષ છે.
વિધાનસભા
જો વિધાનસભાની ચૂંટણી હોત તો રૂપાલાને ક્યારના અમરેલી ભેગા કરી દેવાયા હોત. વિધાનસભાની ચૂંટણી વખતે પરિણામ આવી શકે પણ લોકસભામાં એક પણ એવી બેઠક નથી કે ક્ષત્રિયો ભાજપને હરાવી શકે. કે કોંગ્રેસને જીતાડી શકે.
રૂપાલા પુરતો વિષય નથી, વિધાનસભાની ચૂંટણીમાં બીજા સમાજ કે જ્ઞાતિ ભાજપનો વિરોધ કરીને ઝૂકાવે નહીં તેનો આ પ્રયોગ છે. અગાઉ કોળી, ઠાકોર અને પાટીદારો ધારી બેઠક પર ટિકિટો લાવતાં રહ્યાં હતા. ક્ષત્રિયો આવું કરી શક્યા નથી.
ક્ષત્રિયો ફાવે તો વિધાનસભામાં નાના સામાજ ટિકિટ માંગે છે. વિધાનસભામાં ઝૂકવું ન પડે તેની આ રાજ હઠ છે.
શંકરસિંહ
મોદી પોતે શંકરસિંહ વાઘેલાથી દાઝેલા છે. દૂધથી ધાઝેલા મોદી હવે છાસ પણ ફૂંકી ફૂંકીનેપીવે છે. હવે ભાજપને જરૂર નથી. ભાજપ કહે છે કે તમારે રહેવું હોય તો રહો અમે કોંગ્રેસથી રાજપૂત નેતાઓ લાવીશું. સામધાન કરવામાં ભાજપને જાતિ ઘર ભાળી જાય તેમ છે. તેથી ભાજપ મક્કમ છે. ભાજપ ક્ષત્રિયોનો દુશ્મન નથી. પણ આ રાજનીતિ છે. જેને સમજવી મુશ્કેલ છે.
નેતાઓ દીવાસળી
સળગવામાં પક્ષના નેતાઓ જવાબદાર છે. ક્ષત્રિય મહોરૂ છે બાકી તો ભાજપના નેતાઓનો અસલી ચહેરો છે. સળગાવવામાં ભાજપના નેતાઓ ખુશ છે. મૂળ ભાજપના કાર્યકરોને નેતાઓ ગણતાં નથી, હવે તેની જરૂર નથી. કોંગ્રેસના 60થી 70 હજાર કાર્યકરો અને 200 નેતાઓ એટલાં માટે તો લાવ્યા છે. આ કોંગ્રેસના પક્ષપલટુ હવે સંગઠનમાં ભાગ પડાવશે. ભરત બોઘરાને લેવા પટેલ છે, તેઓ પણ ઘણી મહત્વકાંક્ષા રાખે છે. ધનસુખ ભંડેરી અને મોહન કુંડારીયા કંઈ પક્ષથી ખુશ નથી. રાજકોટ એ ભાજપ માટે સલામત બેઠક છે. આમેય અહીં, લોકસભામાં ઉમેદવારને નીચેના નેતાઓની કે ઓછા મતો ધરાવતાં સમાજની બહું પડી હોતી નથી. આતો ઘર ભાળી ન જાય તે માટે કવાયત છે. ક્ષત્રિયોને તાબે પક્ષ ન થયો તેથી બીજી જ્ઞાતીઓ રાજી થશે.
ભાજપના જ નેતાઓ બદલાવી રહ્યાં છે.
ભાજપના મંત્રી ભરત બોઘરાએ નિવેદન કર્યું છે. રાજકોટ શહેરના કોઈ કાર્યકર્તાને પ્રદેશનો કોઈ ખુલાસો પૂછવામાં આવ્યો નથી,મારી કોઈ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.
મોદીનું રાજ્ય
વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય સળગી રહ્યું છે. ભાજપ અને મોદીએ કંઇ ન બોલવાની રણનીતિ અપનાવી છે. એક બાજુ મોદીની રાજ હઠ છે, જ્યારે બીજી બાજુ બાપુઓ વટ પર ઉતરી આવ્યા છે.
ગઇકાલે રાજકોટ ખાતે પણ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું અને રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી વાત કરી હતી. ત્યારે આજે પાટીલે આ અંગે જણાવ્યું છેકે, કે અમારી વાત ચાલી રહી છે. સુખદ નિવેડો આવે તેવા પ્રયત્નો છે અને અમે આ બાબતે ગંભીર છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાજપના આગેવાનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને હું પોતે તેમના સંપર્કમાં છીએ અને તેમની સાથે વાત ચાલી રહી છે. પણ તેઓ મોદીના નામે મગનુ નામ મરી પાડતાં નથી.
ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં મહિલા આગેવાન દશરથબા પરમારે કહ્યું હતું કે, પાંચ ક્ષત્રાણી મહિલાઓને દિલ્હી જવાની પરવાનગી આપો. મોદી સાહેબને મળવાની પરવાનગી આપો. તેમણે કહ્યું હતું કે, તમે બહેનોને જ્યારે મારી જરૂર હોય, ત્યારે આ ભાઈ હાજર છે. ત્યાં જઈને ક્ષત્રાણી ‘બહેનો’ દિલ્હી જઈને નરેન્દ્ર ‘ભાઈ’ મોદી પાસે માંગશે રૂપાલાનું બલિદાન !
નરેન્દ્ર મોદી અપીલ કરે તોપણ નિર્ણય અડગ જાહેર કરાયો છે. દરેક ગામમાં ભાજપને ‘નો એન્ટ્રી’નાં બેનર લાગી રહ્યાં છે. પી.ટી.જાડેજાએ 256 ગામમાં બેનર પહોંચાડ્યાં છે. 20 હજાર પત્રિકા વહેંચી છે.
રૂપાલા વિવાદ વચ્ચે ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની કફોડી હાલત, ‘ન ઘરના, ન ઘાટના’ જેવી સ્થિતિ છે. ભાજપ તરફી ક્ષત્રિય નેતા, ધારાસભ્યોએ ઘરમાં છુપાઈ રહેવા મજબૂર થવુ પડ્યુ છે. મંત્રી બળવંતસિંહ રાજપૂત, આઈ.કે.જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા જેવા ઘણાં નેતાઓને ભાજપે ક્ષત્રિયોને સમજાવવાની જવાબદારી સોંપી હતી પણ આ બધાય નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યા હતાં. ક્ષત્રિય નેતાઓની રાજકીય કારર્કિદી રોળશે તે વાત નક્કી છે.
અમદાવાદના GMDCમાં 2015માં જય સરદાર પછી 2024માં જય ભવાનો નારો ગૂંજશે. ગુજરાત સહિત દેશભરમાં વિરોધ છે.
ગુજરાતમાં રસ્તા પર ઉતરીને રૂપાલાને નિશાન બનાવીને મોદી સામે વિરોધ કરી રહ્યાં છે. ક્ષત્રિયોએ પાટીદાર આંદોલન જેવો જ માહોલ બનાવ્યો છે. શક્તિ પ્રદર્શન કરીને ભાજપને ડરાવવામાં આવી રહ્યા છે. ફાંટા 7 દાયકામાં એકજૂથ થઈની લડી રહ્યા છે. રૂપાલા સામેની લડાઈ ભાજપ વિરુદ્ધની બની હવે મોદી વિરૂદ્ધની બનતાં ભાજપ ચિંતામાં છે.
પાટીદાર આંદોલન જેવી જ મોડેસ ઓપરેન્ડી જોવા મળી. બેસવા, નાસ્તો, રોકાણની વ્યવસ્થા થઈ તે આંદોલનને સુનિયોજિત રીતે આગળ લઈ જવા માટેની રણનીતિ ઘઢવા માટેના રણનીતિકારો. પાટીદાર આંદોલનની જેમ જ અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિયોને મળ્યો છે.
વિઠ્ઠલ રાદડિયાએ 3 લાખ, સોનિયા ગાંધીની સભામાં 3 લાખ લોકો એકત્રિત થયા હતાં.
હવે ક્ષત્રિયો ભાજપ સામે આંદોલન ફૂંકશે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આંદોલનને વધુ આક્રમક બનાવવા અંગેની રણનીતિ બનાવાઈ હતી.
શંકરસિંહ વાઘેલાએ જે કેશુભાઈની સરકાર ઊથલાવી તેમ હવે અહીં મોદીની સામે આંદોલન છે. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનનું આયોજન કર્યું હતું.
ગોંડલમાં ભાજપે સંમેલન કર્યું તેનો જવાબ રાજકોટમાં આપ્યો હવે અમદાવાદમાં સંમેલન કરવાની હીલચાલ છે. જે મોદીને સીધો જવાબ આપી શકે છે. 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ અપાયું છે. 19 એપ્રિલ સુધી જો ભાજપ હાઈકમાન્ડ દ્વારા રૂપાલાનું ફોર્મ પરત નહિ ખેંચવામાં આવે તો અમદાવાદ ખાતે આંદોલન કરાશે એવી ચિમકી પણ રાજપૂતોએ ઉચ્ચારી છે.
ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું કે, રૂપાલાની ટિકિટ પરત નહિ ખેંચાય તો અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરાશે. જેમાં સમગ્ર દેશભરમાંથી ક્ષત્રિયો એકત્રિત થશે. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ ક્ષત્રિય સમાજની માંગ છે. અહીં વાત હવે બાપુઓના વટ પર આવી ગઈ છે.
આગને ઓલવવા માટે ભાજપ હવે હવાતિયાં મારી રહ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ હવે યેનકેન પ્રકારે ક્ષત્રિયોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભાજપના લોકોએ બે ઉમેદવારનો વિરોધ કર્યો, ત્યારે ભાજપે બે ઉમેદવારને બદલી નાખ્યા. પરંતુ આજે ક્ષત્રિય સમાજ એક ઉમેદવારનો વિરોધ કરી રહી છે, તો ભાજપ તે ઉમેદવારને બદલી શકતું નથી.
રૂપાલાના નિવેદન મુદ્દે ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક 3 એપ્રિલે નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. વિવાદ વકરતા જ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માગી હતી.
અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વમંત્રી હકુભા લાલબાપુને મળ્યા હતા.