Gujarat: મહેસાણાના ખેરાલુના મંદ્રોપુર ગામના 50 વર્ષની ઉંમરના ખેડૂત પથુભાઈ લવજી ચૌધરી 10 વર્ષથી પાલેકરની પદ્ધતિ પ્રમાણે ખેતી કરે છે. ગુજરાતના રાજ્યપાલ અને પ્રાકૃતિક ખેતીના ગુજરાતના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 21 જાન્યુઆરી 2024માં તેમના ખેતરમાં જઈ આવ્યા છે. રાજ્યપાલે ગુજરાતમાં આવીને પહેલી બેઠક કરી ત્યારથી તેઓ તેમની સાથે છે. તેમના ખેતરમાં 5 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી જોવા અને શિખવા માટે આવેલા છે. એકજ ખેતરમાં 12 પ્રકારની શાકભાજી જોઈને રાજ્યપાલ રાજી થયા હતા. તેમની ખેતી અનોખી ખેતી છે. જે લોકોના જીવન બચાવે છે. રોગ થતાં અટકે છે. પર્યાવરણને બચાવે છે.
મોતની ખેતી
ગુજરાતમાં પ્રદૂષણના કારણે 2 લાખ લોકો મરે છે. ગુજરાતમાં 80 હજાર દર્દી કેન્સરના દર્દ વર્ષે થાય છે. 50 ટકાના મોતને ભેટી જાય છે. ગુજરાતમાં ટીબી, કેન્સર, એઈડ્સઝથી 7 હજાર લોકો એક વર્ષમાં મોતને ભેટે છે. જંતુ નાશકથી સીધા અને આટકતરાં 3 હજાર લોકો મોતને ભેટે છે. આમ જો પ્રાકૃતિક ખેતી થાય તો વર્ષે 10 હજાર લોકોના મોત થાય છે તે ઘટાડી શકાય તેમ છે. આવી ખેતી વધી રહી છે. આ વર્ષના અંત સુધીમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં હશે. ગુજરાતમાં કૂલ 55 લાખ ખેડૂતો છે.
આ બધા રોગનો ઈલાજ પ્રાકૃતિક ખેતી છે. એવી ખેતી પથુભાઈ અને તેની સાથે 9 લાખ ખેડૂતો કરી રહ્યાં છે.
પથુભાઈ પ્રાકૃતિક ખેતીના જિલ્લા સંયોજક છે.
મહેસાણા જિલ્લામાં ગામ દીઠ 5 ખેડૂતો 100 ટકા પ્રાકૃતિક ખેતી કરે છે. 662 ગામ છે. બીજા ગામ દીઠ 20થી 25 ખેડૂતો એવા છે જે, પોતાના માટે પ્રાકૃતિક ખેતી કરે છે. અથવા ક્યારેક ખાતર કે રાસાયણિક જંતુ નાશક છાંટે છે. પથુભાઈએ ખેડૂતોને તૈયાર કરેલા જેમાંથી 500 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. તેમની પાસે 30 વીઘાની ખેતી છે.
તેઓ કોઈ ખર્ચ વગર પોતાના ખેતરમાં જ જંતુનાશકો તૈયાર કરીને ઓછા ખર્ચે ખેતી કરે છે. ભાવિ પેઢી જંતુનાશકોથી ન મરે તેવા જીવવની ખેતી કરે છે.
બંજર બનતા ખેતર
વર્ષો પહેલા જમીનમાં બેથી અઢી ટકા ઓર્ગેનિક કાર્બન હતું. રાસાયણિક ખાતરોના ઉપયોગથી હવે 0.5 ટકાથી ઓછો ઓર્ગોનિક કાર્બન થઈ ગયો છે. આગામી 50 વર્ષ સુધી રાસાયણિક ખેતી થશે તો ખેતર બંજર બની જશે. એક એકર ખેતરમાં રાસાયણિક ખેતી કરવામાં આશરે રૂ. 15 હજાર ખર્ચ થાય છે. 28 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. પ્રાકૃતિક ખેતીમાં એક એકર ખેતરના વાવેતરમાં રૂ. 2 હજાર ખર્ચ થાય છે. એક એકર ખેતરમાં રાસાયણિક ખાતરોની સામે પ્રાકૃતિક ખેતીમાં 50 ટકા પાણી વપરાય છે. 36 ક્વિન્ટલથી વધુ ઉત્પાદન મળે છે. રાસાયણિક ખેતીના ખેતરમા 30 લાખ 60 હજાર સુક્ષ્મ જીવાણુ જોવા મળ્યા હતા. જ્યારે પ્રાકૃતિક ખેતીના ખેતરમાં 161 કરોડ સુક્ષ્મ જીવાણુ મળ્યા હતા. આમ પ્રાકૃતિક ખેતી ફાયદાકારક અને ખેતરને બંજર બનતા અટકાવે છે. 21 લાખ હેક્ટર બંજર જમીન ગુજરાતમાં છે.
ખેડૂત પથુભાઈ લવજી ચૌધરીએ જે કહ્યું તે અહીં સમજવા જેવું છે.
હું 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. હું મારા ખેતર અંદર રસાયણ વાપરતો નથી. બ્રહ્માસ્ત્ર કૃષિ મિત્ર જંતુ નાશક છે. સુભાષ પાલેકર ખેતીનું બ્રહ્માસ્ત્ર શક્તિશાળી જંતુ નિયંત્રણ શસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર રાસાયણિક જંતુ નાશકોથી ઓછું નથી. મોટી જીવાત, નાની ઈયળ, જીવાત, ચુસીયા, થ્રીપ્સના નિયંત્રણ માટે, સકિંગ પેસ્ટ્સ, શીંગી કે ફળના બોરર સામે ઉપયોગી જંતુનાશક દવા છે. જે રસાયણની ઝેરી દવાના બદલામાં વપરાય છે. પ્રાકૃતિક તમામ જંતુનાશકો બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક કૃષિ મિત્ર જંતુને નુકસાન કરતા નથી.
જંતુ કે ઇયળ આવે તો પહેલાં નિમાસ્ત્રનો ઉપયોગ કરવો. તેનાથી રોગ કાબુમાં ન આવે તો બીજા અસ્ત્ર વાપરવા.
નિમાસ્ત્ર
નિમાસ્ત્રનો ઉપયોગ પાકમાં ચૂસીયા પ્રકારના જંતુઓ અને નાની ઈયળો માટે જંતુનાશક તરીકે કરું છું. રોગો માટે પહેલા નિમાસ્ત્રનો ઉપયોગ કરવો. હજુ પણ પાકમાં જીવાત નિયંત્રણ ન હોય તો બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અથવા દશપર્ણી અર્કનો ઉપયોગ કરવો જોઈએ.
લીમડાનો ઉપયોગ નિમાસ્ત્ર બનાવવા માટે થાય છે.
લીમડાના લીલા પાંદડા અથવા લીમડાની સૂકી લીંબોળી અથવા પાન અને સુકી લીંબોળી સમભાગે 5 કિલો લેવામાં આવે છે. દેશી ગાયનું 5 લિટર ગૌમૂત્ર, દેશી ગાયનું 5 કિલો છાણ લેવામાં આવે છે. લીમડાના પાનની ચટણી બનાવવી. લીમડાના લીંબોળીનો પાઉડર બનાવવો. જે 100 લિટર પાણીમાં પેસ્ટ ઉમેરવામાં આવે છે. જેમાં ગૌમૂત્ર અને ગોબર નાંખવા. લાકડીની મદદથી તેને ઘડિયાળની દિશામાં 5 મિનિટ સુધી સવારે અને સાંજે 2 દિવસ સુધી ફેરવો. છાંયામાં રાખી ગાળી લઈને 16 લિટરના પંપમાં 2 લિટર નિમાસ્ત્ર નાંખી 21 દિવસ પછીના કોઈ પણ પાક પર સવારે કે સાંજે છાંટવું. 6 મહિના સુધી કામ આપે છે.
બ્રહ્માસ્ત્ર જંતુ નાશક
સુભાષ પાલેકર ખેતી પદ્ધતિમાં જંતુઓ માચવાનું બ્રહ્માસ્ત્ર તૈયાર કરાયું છે. તે શક્તિશાળી કુદરતી જંતુ નિયંત્રણ શસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર રાસાયણિક જંતુનાશકોથી ઓછું નથી. પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીમાં, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ મોટી જીવાંત અને ઈયળના નિયંત્રિત કરવા માટે થાય છે.
બ્રહ્માસ્ત્ર બનાવવા માટે વૃક્ષો અને છોડના પાંદડા લેવાય છે. એવા છોડ કે વૃક્ષો કે જેના પર જીવજંતુના હુમલાની લગભગ કોઈ શક્યતા જ ન હોય. તેના પર જીવાતની અસર ન થતી હોય.
છોડ કે વૃક્ષના બે કિલો પાન લઈ તેની ચટણી બનાવવી જેમાં કરંજ, સીતાફળી, સફેદ ધતુરો, જામફળી,
આંબો, એરંડી, બિલ્લીપત્ર તથા લીમડાના લીલા પાન 3 કિલો લેવા. આમાંથી કોઈ પણ 4 કે 5 વૃક્ષ કે છોડનના પાનની ચટણી બનાવી જેમાં દેશી ગાયનું ગોમૂત્ર 10 લિટર લેવું. તમામને વાસણમાં ધીમી આંચ પર ગરમ કરી જ્યાં સુધી તે બેથી ત્રણ વખત ઉફાણો આવે ત્યાં સુધી ઉકાળી 24 કલાક રહેવા લઈ 6 મહિના સુધીમાં ઉપયોગ કરવો. 100 લિટર પાણીમાં 2થી 3 લિટર બ્રહ્માસ્ત્ર ભેળવીને પાક પંપ પર છંટકાવ કરવો. છોડની ઉંમર અને રોગની તિવ્રતાને ધ્યાનમાં લઈને અનુભવ પ્રમાણે ઉપયોગ કરાય છે.
અગ્નિ અસ્ત્ર –
અગ્નિ અસ્ત્ર બનાવવાની રીત – છોડના રસ ચૂસતા જંતુઓ, નાની ઇયળ અને મોટી ઇયળ, વૃક્ષ ડાળીના જંતુ, ફૂલના જંતુ, ફાળોના જંતુ, કપાસના જંતુ તેમજ તમામ પ્રકારના મોટા જંતુઓ અને ઈયળના નિયંત્રણ માટે એક સારું જંતુ મારક છે.
દેશી ગાયનું ગોમૂત્ર 20 લિટર, લીમડાના પાનની ચટણી 5 કિલો, તમાકુ 500 ગ્રામ, લીલા મરચાની ચટણી 500 ગ્રામ, લસણની ચટણી 250 ગ્રામને વાસણમાં આગથી ઉકાળવામાં આવે છે. બેથી 4 વખત ઉફાણો આવે એટલે 24 કલાક રાખીને ગાળીને સંગ્રહ કરવામાં આવે છે. જે 6 મહિના સુધી 100 લિટરમાં 3 લિટર અગ્નિ અસ્ત્ર જંતુ નાશક કોઈપણ પ્રકારના પાક અને છોડ પર છંટકાવ કરી શકાય છે.
દશપર્ણી જંતુ નાશક –
શરૂઆતના વર્ષોમાં દશપર્ણી અર્ક રાસાયણિક જંતુ નાશક જેટલું જ અસરકારક છે. ગાય, બકરા જેને ખાવાનું પસંદ નથી કરતા એવા છોડના પાંદડા વપરાય છે. દશપર્ણી અર્કનો ઉપયોગ તમામ પ્રકારના રસ ચૂસનાર જંતુઓ અને પાક-છોડમાં આવતી તમામ પ્રકારની ઇયળોના નિયંત્રણ માટે થાય છે.
દશપર્ણી અર્ક બનાવવા માટે 10 સ્થાનિક વૃક્ષો અને છોડના પાન પસંદ કરવામાં આવે છે. એવા છોડ કે વૃક્ષો કે જેના પર જીવાતો આવતી ન હોય.
જેમાં લીમડાના પાન અને લિંબોળી, સીતાફળી, એરંડા, બિલ્લી, કરંજ, તુલસી, આંબો, ધતૂરો, આંકડો, દાડમી, જાસૂદ, જામફળી, કારેલી, અર્જુન, કરેણ, હળદર, પપૈયા, આદું, ગલગોટા નો આખો છોડમાંથી કોઈ પણ 10 પસંદ કરવામાં આવે છે. જેના દરેકના 2 કિલો પાન લેવામાં આવે છે.
અન્ય સામગ્રી – દેશી ગાયનું ગોમૂત્ર 20 લિટર, દેશી ગાયનું છાણ 2 કિલો, તમાકુ 1 કિલો, લીલા મરચાની ચટણી 1 કિલો, ગાંગડા હિંગ પાવડર 10 ગ્રામ, દેશી લસણની ચટણી 500 ગ્રામ, આદુની ચટણી 500 ગ્રામ, હળદર પાઉડર 500 ગ્રામ લઈને તથા તમામ 10 ઔષધિય છોડના પાનને 200 લિટર પાણીમાં ઉપરની સામગ્રી ઉમેરવામાં આવે છે. જેને છાંયે રાખીને સવાર-સાંજ ઘડિયાળની દિશામાં 3 થી 4 દિવસ સુધી હલાવો. દ્રાવણને 35થી 50 દિવસ સુધી સડવા માટે રાખી અને ગાળીને નીચોવી લેવું. છોડનું આયુષ્ટ અને રોગ જોઈને 200 લિટર પાણીમાં 5 થી 7 લિટર દશપર્ણી અર્કનો ઉપયોગ કરી શકાય છે. 6 મહિનામાં તેનો ઉપયોગ કરી લેવો.
અમૂક દિવસે તેનો છંટકાવ હું કરતો રહું છે. જે અનુભવ પર આધારિત છે.
બીજામૃત
વાવતા પહેલાં બીજની બીજામૃતની માવજત કરવાથી તમામ પોષક તત્વો મળે છે. અંકુરણ ક્ષમતા અને ઝડપ વધે છે. બીજ જન્ય રોગો સામે રક્ષણ મળે છે. બીજને ફૂગ અને જમીનમાં રહેલા રોગોથી બચાવી શકાય છે. બીજ સારી રીતે ખીલે છે.
બીજામૃત બનાવવાની સામગ્રી – દેશી ગાયનું છાણ 5-6 કિલો, દેશી ગાયનું ગોમૂત્ર 3-5 લિટર, ચૂનો 250 ગ્રામ, જંગલની માટી અથવા ખેતરના શેઢા પરની માટી 200 ગ્રામ લેવામાં આવે છે. 20 લિટર પાણીમાં નાંખી 24 કલાક રહેવા દેવું.
આટલી વસ્તુઓ 100 કિલો અનાજ અથવા બીજ માટે પૂરતી છે. બીજને પટ અપી સુકવી એક અઠવાડિયામાં બીજ વાવી દેવા જોઈએ.
પ્રાકૃતિક ખેતીમાં પાકના અવષેશનું ખાતર કે પડવાસ કરે છે. જેથી જમીનમાં ભેજ રહે છે.
છાશ જંતુ નાશક
તાંબાના વાસણ કે તાંબાની પ્લેટ રાખી 15 છાશ રાખવામાં આવે છે. તે છાશને જંતુનાશક તરીકે વાપરી શકાય છે. 200 લીટર પાણીમાં 5 લીટર ખાટી છાશ ભેળવીને પાક પર છાંટું છું.
ફૂગ નાશક છાશ
ફૂગના આક્રમણથી છોડના પાંદડા અને મૂળને નુકસાન થાય છે. છોડ પ્રકાશસંશ્લેષણ કરી શકતા નથી. છોડ બીમાર પડે છે. પાક કે છોડના પાંદડાની બહારની ધાર પર સફેદ કે કાળા ડાઘ પડે એટલે ફૂગ લાગવાનું શરૂ થાય છે. પાકના પાંદડા પર નાના જંતુઓ અથવા તેના ઇંડા દેખાય તો ફૂગ નાશક છંટવામાં આવે છે. પાંદડાની ટોચ અથવા ધાર પર રંગીન ધબ્બા દેખાય તે ફૂગનો હુમલો થયો હોય છે. પાકને વધુ પાણી આપવાથી જમીનમાં ભેજ વધી જવાથી ફૂગનો હુમલો વધી શકે છે. જરૂર કરતાં વધુ પાણી આપવું નહીં. 4 દિવસ પછીના ગમે તેટલા દિવસની ખાટી છાશ ફૂગજન્ય રોગમાં વાપરું છું. 200 લીટર પાણીમાં 5 લિટર ખાટી છાશ ભેળવીને પાક પર છાંટું છું.
જીવામૃત
છોડના વિકાસ માટે જીવામૃત્તનો છંટકાવ કરું છું.
ગોળ
છોડ અને ફૂલના વિકાસ માટે ગોળ, ગોમૂત્ર, દૂધ, ગાયના છાણનું પાણી છાંટું છું. જેનાથી ઉત્પાદન વધે છે.
યૂરિયા ફેકટરી
કઠોળનો પાક તમામ બીજા પાકોમાં મિશ્ર પાક તરીકે વાવીને તેના મૂળ કે ગાંઠનો ઉપયોગ યૂરિયા તરીકે કરું છું. એઝોટો બેક્ટેરીયા – ગાંઠ મૂળમાં નાઇટ્રોજન ફિકસીંગ કરે છે. હવામાં અઢળક નાઇટ્રોજન હોય છે તે તોડીને કરવો પડે છે. બીજો રસ્તો કુદરતી વનસ્પતી – દ્વિદલ વનસ્પતી કરે છે. બે કણમાંથી એક કણ કરી આપે છે. તેથી એક જ પ્રકારનો પાક લેતો નથી. વચ્ચે કોઈ કઠોળ પાક કરું છું. યુરિયાના બદલામાં તે વપરાય છે.
છોડને ગાયનું દૂધ
3 લિટર દૂધ સિંચાઇના પાણીની નીક કે પાઈપ સાથે જોડીને ટીપે ટીપે તેઓ આપે છે. દૂધના તત્વો જમીનને સારી બનાવે છે. દૂધ પીવડાવવાના કારણે છોડની રોગપ્રતિકાર શક્તિ વધે છે, જે છોડના બદલાવ પરથી ખબર પડે છે. પાક પીળો પડી ગયો હોય તો, દૂધ પીવડાવવાથી તેની ફરીથી કુમળાશ આવે છે. વાવેતરના 1 કે 2 મહિના પછી દૂધ આપું છું અને મહિને કે 15 દિવસે એક વખત દૂધ પિવડાવે છે. સિંચાઈના પાણીથી ન આપવું હોય તો તેને છોડ પર છાંટીને પણ દૂધ આપી શકાય છે.
આવરણ – મલ્ચિંગ
રાસાયણિક ખેતી પદ્ધતિમાં પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ આવરણ – મલ્ચિંગ માટે થાય છે. પ્લાસ્ટિક મલ્ચિંગથી જમીનનું તાપમાન વધે છે અને તેની અંદરનું પાણી બાષ્પીભવન થતું નથી અને સૂક્ષ્મ જીવોને ઓક્સિજન મળતો નથી, જેના કારણે તેમાં રહેલા સૂક્ષ્મ જીવ મરી જાય છે. કુદરતી રીતે આવરણ કરવામાં આવે છે. જમીનમાં સૂક્ષ્મ પર્યાવરણની રચના થાય છે, પોષક તત્વો અને વિઘટન દ્વારા નવા મિત્ર સુક્ષ્મ જીવો પેદા થાય છે. વેલાના શાકભાજી અને ફળોને જમીનના સીધા સંપર્કમાં આવતા અટકાવી શકાય છે. આવરણના 3 પ્રકાર છે.
પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદનથી જમીનની ઉપરની સપાટી પર રહેતા જીવોને પ્રતિકૂળ વાતાવરણ કે જોખમોથી બચાવવા માટે કુદરતી આવરણથી જમીન ઢાંકવામાં આવે છે. જેને આચ્છાદન કહે છે.
જમીનનું હળવું ખેડાણ – ઊંચા તાપમાનને કારણે જમીનમાંથી કાર્બન હવામાં ભળે છે, ભેજને શોષી લે છે, જમીન ફૂલી કે સંકોચાય છે. જમીનમાં તિરાડો દેખાય છે અને તિરાડોમાંથી ભેજ હવામાં વરાળ થઈ જાય છે. તેથી જમીનના કામના શુક્ષ્મ જીવો ક્ષતિગ્રસ્ત થાય છે. તિરાડો પડી જવાથી મૂળને નુકસાન થાય છે. આવા નુકસાનથી બચવા માટે, જમીન પર હળવું ખેડાણ કરવું જોઈએ. હળવા ખેડાણથી જમીનમાં હવા, ભેજ અને પાણીનું પરિભ્રમણ વધે છે, જેનાથી મૂળ અને સૂક્ષ્મ જીવો ઓક્સિજન સરળતાથી ઉપલબ્ધ થાય છે. સિંચાઇ ઓછી કરવી પડે છે.
કાષ્ટાચ્છાદાન – પાકના અવશેષોથી માટીને ઢાંકવાને કાષ્ટાચ્છાદાન કહેવામાં આવે છે. જમીનના ઉપરના સ્તરને ચાર ઇંચની ઊંડાઈ સુધી પાકના અવશેષોથી ઢાંકવામાં આવે છે. નીંદણ ઘટે છે. જમીનને સીધો સૂર્યપ્રકાશ મળતો નથી. 4-5 ઈંચ જમીનની અંદર જાય છે અને જમીનમાં ભળી જાય છે.
સજીવાચ્છાદાન – મુખ્ય પાકની સાથે સહ-પાકનું વાવેતર કરીને જમીન પર સજીવાચ્છાદાન કરાય છે. વધારાની આવક પણ મેળવી શકાય છે. કઠોળનો સહ પાક વવાય તો તેના મૂળની ગાંઠોમાં યૂરિયા હોય છે. મુખ્ય પાકનો રોગ વિભાજિત થઈને કુદરતી રોગ નિયંત્રણ થાય છે.
જંતુનાશકો બનાવી તેને પેક કરીને ખેડૂતોને સાવ સસ્તામાં વેચવા માટે હું તૈયારી કરી રહ્યો છું. જે ખેડૂતો પોતાના ખેતરમાં બનાવવા ન માંગતા હોય તેમને બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા જંતુનાશકો અને ઘનામૃત બનાવીને વેચવાનો છું. કૃષિ કંપનીઓ બ્રહ્માસ્ત્ર બનાવવા લાગી છે. હું પણ તેનાથી સારું બનાવવાનો છું. પેકિંગમાં તે વેચીશ. મોટા ખેડૂતોને તૈયાર આપીશ. કંપનીઓ ઘણી આવી છે. ઘનજીવામુત્ર બનાવીને આપીશ. આમ કરીને ગુજરાતની ભાવી પેઢીને તેઓ રાસાયણિક જંતુનાશકો અને ખાતરોથી બચાવવા માંગે છે.
આવક
એક વીઘાના શાકભાજીમાં રૂ. 1 લાખથી 1.50 લાખ ઉત્પાદન મેળવું છું. મજૂરી પાણી સિવાય કોઈ ખર્ચ થતું નથી. રાસાયણિક ખેતી કરતાં 10થી 15 ટકા વધારે ઉત્પાદન થાય છે. ગુણવત્તા અને પાકની મીઠાશ સારી રહે છે.
પાણી
પ્રાકૃતિક ખેતીથી સિંચાઇના પાણીની 50 ટકા સુધી બચત થાય છે. આચ્છાદન માટે પાકના અવશેષ વાપરીને જમીન ઢાંકી દે છે. તેથી જમીનની અંદર ભેજ જળવાઈ રહે છે. ખેડૂતોને સિંચાઇના પાણીનું મોટું ખર્ચ આવે છે. ખેડૂતો બળદથી કુવામાંથી કોશથી પાણી ખેંચીને સિંચાઇ કરતાં હવે ખેતરમાં જમીનની નીચે 1 હજાર ફૂટથી પાણી મળે છે.
વધારાની આવક
પાકમાં આંતર પાક તરીકે બીજા કોઈ પાક વાવીને વધારાનો પાક વચ્ચે થઈ શકે છે. જેની વધારાની આવક થાય છે. જે રાસાયણિક ખાતર કે રાસાયણિક જંતુનાશકોની ખેતીમાં થઈ શકતું નથી. એક કિલો રાસાયણિક ખાતરના રૂ.70થી 700 સુધી ભાવ છે. જંતુનાશકનો 15-20 હજાર ખર્ચ થાય છે. એક વીઘે શાકભાજીમાં 15-20 હજાર વધારાના મળે છે. આ બધી વધારાની આવક છે. બેડ પદ્ધતિની ખેતી કરવાથી ઉત્પાદનમાં 10થી 15 ટકાનો ફાયદો થાય છે. આચ્છાદન કરવાથી મોટો ફાયદો છે. તેથી પ્રાકૃતિક ખેતીથી મને વધારાનો નફો મળી રહ્યો છે.
રાજ્યપાલ
5 ફેબ્રુઆરી 2024ના દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમા 9 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી ખેતર ફળદ્રુપ અને નરમ બને છે. પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી કરતા વધુ ફાયદાકારક છે. પ્રાકૃતિક ખેતીમાં ઓછો ખર્ચ વધુ ઉત્પાદન થાય છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પન્ન થતા અળશિયા અને સુક્ષ્મ જીવાણુ ધરતીને ફળદ્રુપ બનાવે છે. સુક્ષ્મ જીવાણુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાકૃતિક ખેતીમા દેશી ગાયનુ છાણ જરૂરી છે. ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સુક્ષ્મ જીવાણુ હોય છે. વર્ષો પહેલા 45 પ્રકારની નસલવાળી દેશી ગાયો હતી. પરંતુ આજે માત્ર 22 નસલની જ ગાયો જોવા મળે છે.