રાજયમાં ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે રોડ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રોડ- રસ્તાઓમાં થયેલા ભારે નુકસાનન પલે રાજયભરમાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ વિપક્ષ કોંગ્રેસ દ્વ્રારા પણ રાજય સરકારની આકરી ટીકા કરવામા આવ્યા બાદ હવે રાજય સરકારે શહેરી વિસ્તારોમાં રોડ રસ્તાના રિ-સરફેસિંગ (road re-surfacing) માટે 160 કરોડની રકમ ફાળવી છે. જેના પગલે હવે આ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.રાજ્યની 155 નગરપાલિકાઓમાં ખાડા તેમજ માર્ગોના ધોવાણ બાદ રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. 160 કરોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ફાળવ્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિ ભારે વરસાદને કારણે શહેરો-નગરોમાં ભારે નુકસાન થયેલા રસ્તાઓના મરામત કામો ઝડપથી હાથ ધરવામાં આ રકમ મદદરૂપ બનશે.