ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીઆદ માંથી 500 ના દર ની ડુપ્લીકેટ નોટો મળી આવી છે. જ્યારે નડીઆદ પવન ચક્કી રોડ ઉપર આવેલ આશીર્વાદ રો-હાઉસ ના મકાન નં.8 માં ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને SOG પોલીસે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધાર્યું હતું. જ્યારે ગતરાત ના સુમારે છાપો મરતા 17.66 લાખ ઉપરાંત ની બનાવતી નોટો સાથે 2 શખ્સો ને ઝડપી પડતા ચકચાર મચી જવા પામી હતી.
સાક્ષર નગરી નડીઆદમાંથી બનાવતી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝાડપતાં જ પોલીસે તપાસ નો ધમધમાટ તેજ કર્યો છે. નડીઆદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ રો-હાઉસ નં 8 માં રહેતા રાજુભાઇ શંકરભાઇ પરમારના મકાનમાં તેઓ તેઓ શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર ની મદદ થી બનાવતી ડુપ્લીકેટ નોટો છાપે છે.
અને આ નોટો નડીઆદમાં મેળામાં ફરતી કરવાના છે જેના આધારે lcb પીએસઆઇ એ.જે.અસારી અને કનકસિંહ તથા સ્ટાફના જવાનો ,એસઓજી ના પીઆઈ એન.આર.વાઘેલા તથા FSL ના અધિકારી સાથે રાત્રી ના સાડા દશેક વાગ્યા ન સુમારે ત્રાટકયા હતા. પોલીસે મકાન માં થી રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૌલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર ને ઝડપી પાડી ને મકાનની તલાશી લેતાં એક ખૂણામાં મિનિયાની કોથળીમાં 500 ના દર ના બંડલો મળી આવ્યા હતા.
જેની ચકાસણી કરતાં તે બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતું. તમામ નોટો ગણી જોતા કુલ 1940 નોટો 9.70 લાખની થવા પામી હતી. આ બનાવટી નોટો સંદર્ભે પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ કલર પ્રિન્ટરથી છાપેલાનું જણાવ્યું હતું. પોલીસે રસોડાના નીચેના ભાગેથી કલર મશીન તેમજ નોટો છાપવામાં વપરાતા કટર , ફૂટપટ્ટ, કલર વગેરે મળી આવ્યું હતું. બંન્ને ની બીજી નોટો સંદર્ભે પૂછપરછ કરતા શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મેં તથા રાજુભાઇ એ આ સિવાય ની બીજી 500 ના દરની બનાવટી ચલણી નોટો છાપી હતી અને તે ગતરાતે ના બેથી સવા બેના ગાળામાં શૈલેન્દ્રસિંહ તથા રવિભાઈ રાજુભાઇ પરમાર ની સાથે એક પ્લાસ્ટીક ની થેલી માં ભરી ને બાઇક પર જઈને વાસુદેવભાઈ ગોવિંદભાઇ ભીમાણી ના ઓએ પૈસા ની લેવડ – દેવડ બાબતે નડીઆદ કોર્ટે માં કેસ કર્યો હોય તેમની સાથે થયેલ મનદુઃખ ને કારણે તેમને ફસાવવા માટે તેમના ઘરની પાછળ ના ભાગે વરંડા ની દીવાલે અડી ને લાકડાના ભંગાર ના ઓથે મૂકી આવ્યા હોવાની કબૂલાત કરી હતી.