Gujarat:આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી શકે છે. પાર્ટીના સૂત્રો કહે છે કે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનીતા કેજરીવાલ મતદારો સુધી સંદેશ પહોંચાડવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. હવે AAPના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા હોવાથી તેઓ દિલ્હી અને અન્ય રાજ્યોમાં પ્રચારની જવાબદારી સંભાળે તેવી શક્યતા છે.
આપને જણાવી દઈએ કે હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. તેમની ધરપકડથી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય સમીકરણો વેરવિખેર થઈ ગયા છે, ખાસ કરીને લોકસભા ચૂંટણી માટે AAPના પ્રચારને અસર કરી છે.