હાલમાં સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રના લગ્ન મે મહિનામાં હોવાની વાતો વહેતી થઇ છે. ત્યારે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા મુખ્યપ્રધાને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાત પાયા વિહોણી છે. ગુજરાતમાં હાલમાં કોરોના પિક પર છે. રોજના 3000ની આસપાસ કેસ આવી રહ્યાં છે. સરકાર લોકડાઉન મામલે આનાકાની કરી રહી હોવાથી સોશિયલ મીડિયામાં રૂપાણીના દીકરા ઋષભના લગ્ન નહીં પતે ત્યાં સુધી ગુજરાતમાં લોકડાઉન નહીં આવેની અફવા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી. આ અંગે આજે રૂપાણીએ ટ્વીટ કરીને મોટો ખુલાસો કર્યો છે.સીએમ રૂપાણીએ આગળ લખ્યું છે કે આ પ્રકારનું કોઇ આયોજન ન હોવાની વાત કરીને સીએમે આ ફેક ન્યૂઝ હોવાની વાત કરતા હાલમાં સરકારનું આયોજન માત્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવાનું હોવાની વાત કરી છે. ગુજરાતમાં સ્થિતિ વણસી રહી હોવાથી સીએમ સતત આ મામલે મોનિટરીંગ કરી રહ્યાં છે. જેઓએ ગઈકાલે જ નવા નિયમો જાહેર કર્યા છે. સરકાર વેક્સિનેશનના કાર્યક્રમને પણ અગ્રતાથી આગળ ધપાવી રહી છે. ગુજરાતમાં રૂપાણીના દીકરા ઋષભના લગ્ન આજે છે કે કાલે એવી સતત સોશિયલ મીડિયામાં મેસેજો ફર્યા છે. આ લગ્ન પતે તો ગુજરાતમાં સરકાર કાર્યવાહી કરશે આખરે દીકરાના લગ્ન મામલે સતત સોશિયલ મીડિયામાં ચર્ચા વધતાં આખરે રૂપાણીએ જાતે જ ટ્વીટર પર ખુલાસો કરી દીધો છે.