ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારી વચ્ચે જુલાઈમાં યોજાનારી પરીક્ષાને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની સંચાલન સમિતિએ આગામી 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે. ગુરુવારે સંચાલન સમિતિની બેઠક યોજાઈ હતી.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીઓની રજુઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા પણ આ અંગે ગુજરાત યુનિ.ના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. સંચાલન સમિતિ દ્વારા આ પરીક્ષા ક્યારે યોજવી તેનો નિર્ણય હવે પછી લેશે અને તે અંગેની જાહેરાત કરવામાં આવશે.