ગુજરાતમાં કોરોના બેફામ ગતિ થી આગળ વધી રહ્યો છે અને રાજ્યના ચાર મહાનગરોમાં મોટાભાગે આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. શાળા કોલેજો અંગે આજે જ નિર્ણય લેવાશે. 2020નું આખુ વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો સરકાર આપ્યો હતો. પણ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ખુબ ઓછા થઈ જતા, લોકોમાં બેફીકરાઈ જોવા મળી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં ઢિલાસ આવતા કોરોનાના કેસ વધ્યા છે. હવે ઢિલાસ નહીં ચાલે. ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે અને હાલ સંપૂર્ણ રીતે આપણે ફરીથી કોરોનાને હરાવીશું તેમ જણાવી ઉમેર્યું ક, રાજ્યમાં જેટલા કેસ છે તેના કરતા 5 ગણા બેડ તૈયાર છે. હાલ 5 હજાર બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં પણ બેડ તૈયાર કરી દેવામાં આવ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં મનપા દ્વારા સહાય મળતી હતી તે અંગે નિર્ણય લઈશું. તે ઉપરાંત શાળા-કોલેજો અંગે આજે જ નિર્ણય લેવાશે. અને લોકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. રાજ્યમાં હાલ 3 લાખ વેક્સિનેશન આપવામાં આવે છે. હજુ તેમાં વધારો કરવામાં આવશે. બીજી તરફ આગામી સમયમાં આવનાર હોળીના તહેવારની ઉજવણી અંગે હજી પણ સરકારે કોઈ નિર્ણય નથી કર્યો
