વિસાવદર પાસે આવેલા જેતલવડ ગામમાં ચારણ પરિવારની એક મહિલાએ તેના ચાર સંતાનો સાથે સીમમાં કુવામાં છલાંગ લગાવી હતી. જેમાં મહિલા સહિત ત્રણ સંતાનોના મોત નિપજ્યા હતા. તેમાંથી એક પુત્રને બચાવી લેતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિસાવદરના જેતલવડ ગામમાં એક વાડીમાં 70 ફુટ ઉંડા પાણી ભરેલા કુવામાંજીવુબેન કાળુભાઈ વિરમ નામની મહિલાએ પોતાના ચાર પુત્રો સાથે છલાંગ લગાવી હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ મોટા પુત્ર રાજુને બચાવી લીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાએ આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હતું. રાજુના ભાનમાં આવ્યા બાદ તેની પુછપરછકરીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.