સુરતના એક પરિવારે લોકોના વ્યસ્ત શિડ્યુલને જોતા ટેલિફોનિક બેસણું યાજયું હતું. જેમાં 88 વર્ષના બા મૂળ ગુજરાતના બોટાદના પરંતુ મુંબઈ સ્થાયી થયેલા શાંતાબેન ઝાંઝરુકિયાનું 88 વર્ષની વયે છઠ્ઠી ફેબ્રુઆરીએ નિધન થયું હતું
બેસણાની જાહેરાતમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત સમયમાં અને દોડાદોડીના જમાનામાં લોકો પાસે સમય ન હોવાના કારણે અમારા પરિવારે માતૃશ્રાીનું બેસણું ટેલિફોનિક પદ્ધતિથી રાખવાનું નક્કી કર્યું છે, દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે માત્ર ફોન કરીને ટેલિફોનિક બેસણામાં હાજર રહી શકો છો, જૂની પ્રથા અને જૂના રિવાજમાંથી નવી દિશા તરફની પહેલમાં સૌના સહકાર આપવો જોઈએ. આ સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે, આ બેસણામાં કોઈએ રુબરુ આવવાની જરુર નથી. ટેલિફોનિક વાતચીત એ રુબરુ મળ્યાના સમાન જ છે.
આ નવા રિવાઝ જોતા લોકોમાં ભારે આશ્રય પણ જોવા મળ્યો હતો અને તેઓની આ રસમ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ પણ થઈ રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, આ બેસણું એટલા માટે ટેલિફોનિક રાખવામાં આવ્યું છે કે, આજના યુગમાં લોકોને કામકાજમાં વ્યસ્ત હોય છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.તેઓએ વધુમાં કહ્યું કે, મોઢું દેખાડવાની પ્રથા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે, કેટલાક એવા પણ હોય છે કે, માત્ર બે મિનિટ હાથ મિલાવવા માટે આવતાં હોય છે, અને પછી બહાર નીકળી દુનિયાભરની વાતોમાં મગ્ન બની જતાં હોય છે, આમ અમે ખોટી પ્રથા દૂર કરવા પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં દોઢસો જેટલા ફોન આવ્યા હતા.