Karuna Abhiyan 8 વર્ષ દરમિયાન 97 હજાર પશુ-પક્ષીઓને બચાવાયા
Karuna Abhiyan આઠ વર્ષમાં કરૂણા અભિયાનમાં રાજ્યભરમાં ૯૭,૨૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા. જેમાં ૩૧,૪૦૦ પશુઓને તેમજ ૬૫,૭૦૦ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા.
Karuna Abhiyan ગત વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૩,૮૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં ૪,૪૦૦થી વધુ પશુઓ અને ૯,૩૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.છેલ્લા ૦૮ વર્ષમાં અમદાવાદ જિલ્લા બાદ સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૩,૩૦૦થી વધુ, વડોદરા જિલ્લામાં ૧૦,૭૦૦થી વધુ, રાજકોટ જિલ્લામાં ૮,૩૦૦થી વધુ, આણંદ જિલ્લામાં ૬,૮૦૦થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં ૬,૧૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે.
અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશેØ ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સઅપ અને ૧૯૨૬ હેલ્પલાઇન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે ૧૯૬૨ હેલ્પલાઇન નંબર સેવારત ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થાય તેમને રેસ્ક્યુ કરીને સારવાર આપવામાં આવી હતી.
૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન કરૂણા અભિયાન થાય છે. સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ. ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે.
સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપાઈ છે. જેમાં ૨,૪૦૦ જેટલા પશુઓ અને ૧૫,૨૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.
રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન છે. આ નંબર પર “Hi” મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે.
પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ નંબર પર સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે.
કરૂણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાશે. પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરાશે.
આ અભિયાન દરમિયાન રાજ્યભરના ૮૬૫ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલિક્લિનિક, ૨૭ શાખા પશુ દવાખાના ઉપરાંત ૫૮૭ જેટલા ફરતા પશુદવાખાના અને ૩૭ કરૂણાએનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ પશુ સારવાર સંસ્થા ઉપરાંત ૫૦ જેટલા વધારાના મોબાઇલ યુનિટ દ્વારા સારવાર આપવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.