મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે ખેડૂત ખાતેદારો, સામાન્ય નાગરિકોને પોતાની નાની–નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી આવવું જ ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરવામાં આવે.
આસંદર્ભમાંતેમણેકહ્યુંકે, સંપાદનમાં ગયેલી જમીન અંગેનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા, વળતર રકમની વિસંગતતા તથા જાહેર રસ્તા પર થયેલ દબાણ હટાવવા જેવા પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા સ્વાગતમાં સ્થાનિક વહીવટી તંત્ર જ લાવી દે તો સામાન્ય માનવી, ગ્રામીણ ખેડૂતોને ગાંધીનગર રાજ્ય સ્વાગતમાં આવવાની જરૂરિયાત જ ન ઉભી થાય.
મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલેજનફરિયાદનિવારણનાઓનલાઇનઉપક્રમરાજ્યસ્વાગતમાંરજૂઆતમાટેઆવેલાઅરજદારોનીરજૂઆતસાંભળીતેનાત્વરિતઅનેયોગ્યનિવારણમાટેકલેક્ટરો–વિકાસ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આરાજ્યસ્વાગતમાંમુખ્યમંત્રીશ્રીસમક્ષશહેરીવિકાસ, મહેસુલ, પંચાયત, ગૃહ વિભાગના તેમજ ગેરકાયદે બાંધકામ દૂર કરવું તથા રહેઠાણ પાસે ગટર લાઈન અને પાકો રસ્તો બનાવી આપવા જેવા વિષયોને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા હતા.
એટલું જ નહિ મુખ્યમંત્રીશ્રીએ ઓઇલ કંપનીની પાઇપ લાઇન નાખવામાં અસર થતા બનાસ કાંઠાના ૮૦૦ જેટલા ખેડૂતોને વળતર ચૂકવવા અંગેના પ્રશ્ને જરૂરી સૂચનાઓ આપી આ પ્રશ્ર્ન હલ કરાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીભુપેન્દ્રપટેલેગેરકાયદેબાંધકામ, છેતરપિંડી, જમીન માપણીની ક્ષતિઓ જેવી બાબતોમાં સખતાઈથી કામ લેવા પણ જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કરી હતી.
દરમહિનાનાચોથાગુરુવારેમુખ્યમંત્રીશ્રીનીઅધ્યક્ષતામાંનિયમિતપણેયોજવામાંઆવતાસ્વાગતઓનલાઇનજનફરિયાદનિવારણનીઆજનીકડીમાં૧૨જેટલાપ્રશ્નોરજૂથયાહતા. ઓગસ્ટ મહિના દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ–૫૦૧૦ રજૂઆતો માંથી ૭૭.૫૮ ટકા એટલે કે ૩,૮૮૭ રજૂઆતોનું સુખદ નિવારણ લાવી દેવાયું છે.
આરાજ્યસ્વાગતમાંગાંધીનગરથીમુખ્યમંત્રીશ્રીનામુખ્યઅગ્રસચિવશ્રીકૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના જિલ્લાઓના કલેકટર, ડી.ડી.ઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube