Modi : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા અમદાવાદના મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રાજકીય કાર્યક્રમ હતો. મોદી જ્યાં હોય ત્યાં વિવાદ હોય છે. ગુજરાતમાં આજે પણ સરદાર પટેલનું નામ ભૂંસીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા સામે 33 જિલ્લામાં આંદોલન ચાલી રહ્યું છે.
સરદાર પટેલ સ્ટેડિયમની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરાતી સરખામણી કરવામાં આવતી હતી. માત્રને માત્ર આંકડાકીય રમત હતી. મોટેરાને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત કરવાની લહાયમાં સ્ટેડિયમના સ્વપ્નદ્રષ્ટાઓ એ પણ ભૂલી ગયા કે માત્ર આર્કિટેક્ટની રીતે દેખાવમાં સ્ટેડિયમ રૂપાળું બનાવવાથી તેની સરખામણી મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરવી ઉચિત નથી.
સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેને બનાવવામાં લગભગ રૂ.700થી 1200 કરોડ ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે.
જૂનું મોટેરા સ્ટેડિયમ 48 હજાર દર્શકોની ક્ષમતાથી ખિચોખિચ હોય તો તેમાં પહોંચવા અને બહાર નિકળવા માટે દર્શકોને જે યાતના વેઠવી પડતી હતી. એ હાલાકી નવા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકોથી પડે છે.
24 ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં સરદાર પટેલ સ્ટેડિયમ દેશને સમર્પિત કર્યું હતું. 23 ફેબ્રુઆરી 2020માં નમસ્તે ટ્રમ્પ વખતે મોટેરા સ્ટેડીયમનો 3 નંબરનો દરવાજો ભારે પવનને કારણે ધરાશયી થયો હતો.2015થી પાંચ વર્ષ સુધી સ્ટેડિયમ બનવાનો સમય લાગ્યો હતો. જે સ્ટેડિયમ સારી સ્થિતીમાં હતું તેને ધ્વસ્ત કરીને નવું સ્ડેટિયમ બનાવાયું છે.
1982માં 50 ઍકર જગ્યામાં મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નવેમ્બર-1983માં ત્યાં પ્રથમ મૅચ રમાઈ હતી. તે સમયે ગુજરાત સ્ટેડિયમ નામ હતું. પછી, 1994-95ની આસપાસ તેમાં સરદાર વલ્લભભાઈનું નામ જોડવામાં આવ્યું હતું. એ વખતે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની સત્તાધિશ નરહરિ અમીન હતા.
સ્ટેડિયમ બન્યું તે પહેલાં અમદાવાદના ઉદ્યોગપતિ પારુલ જયકૃષ્ણના નામે વિવાદ થયો હતો. કારણ કે અમદાવાદના નવરંગપુરામાં સરદાર પટેલ ક્રિકિટ સ્ટેડિયમ સારી આવી ક્ષમતા સાથે હતું. જેનો રાજકિય સભા માટે ઉપયોગ થતો રહ્યો હતો. આ સ્ટેડિયમમાં ભાજપનું બદનામ ધોતીકાંડ સર્જાયું હતું.
સ્ટેડિયમમાં પ્રવેશવા અને બહાર નિકળવા માટે અત્યાર સુધી એક જ મુખ્ય ગેટ હતો જેના લીધે દર્શકોએ પ્રવેશવા અને બહાર નિકળવા આ દ્વારમાંથી જ પસાર થવું પડતું હતું. પરિણામે દર્શકોએ કોઈ પણ મોટી મેચ માટે સ્ટેડિયમ પર ત્રણથી ચાર કલાક વહેલા પહોંચવું પડતું અને મેચ બાદ પણ તેમને તેમના ઘરે પહોંચતા સહેજમાં બે-ત્રણ કલાક થઈ જતા હતા. આજે પણ આવી જ હાલત હોય છે.
ચાર હજાર કાર્સ અને 20,000 ટૂવ્હીલર્સના પાર્કિંગની ક્ષમતા
જીસીએ દ્વારા માધ્યમોમાં સ્ટેડિયમની ખાસિયતોને વારંવાર જણાવવામાં આવી રહી છે જેમાં સ્ટેડિયમમાં આવનારાઓ માટે પાર્કિંગની જે વ્યવસ્થા દર્શાવાઈ છે એ પણ ખરેખર તો જો સ્ટેડિયમ પૂરી ક્ષમતામાં ભરાશે તો અરાજકતા સર્જાશે એ સ્પષ્ટ લાગે છે. સ્ટેડિયમમાં ચાર હજાર ફોર વ્હિલ અને વીસ હજાર ટૂ વ્હીલ પાર્ક કરવાની વ્યવસ્થા કરાઈ છે એનો અર્થ એ થયો કે ફોર વ્હીકલમાં દરેકમાં પાંચની ક્ષમતા ગણીએ તો વીસ હજાર અને ટૂ વ્હીલમાં દરેકમાં બે જણા ગણીએ તો 40 હજાર એમ કુલ 60 હજાર લોકો તેમના વાહનો દ્વારા સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકે છે. તો પછી બાકીના 40 હજાર લોકો સ્ટેડિયમમાં કઈ રીતે પહોંચશે એ સવાલ છે.સ્ટેડિયમનો પ્રવેશ આસાન તો નહીં જ હોય. કેમકે તેમણે સ્ટેડિયમની અંદર પહોંચવા ઓછામાં ઓછું અડધાથી એક કિલોમીટર ચાલીને જવું પડશે.
અમદાવાદ, 7 મે 2020 નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભીડ એકત્રિત થવાથી કોમ્યુનીટી ટ્રાન્સમીશન વધવાના સંજોગો ઉભા થયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ પ્રવેશવાની શરુઆત થઇ હતી. જેના કારણે આજે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે. આ અજાણતા થયેલી ભૂલ નથી, ગુનાઈત નિષ્કાળજી છે. તેમ કોંગ્રેસે જણાવ્યું છે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખપદે પરિમલ નથવાણીના પુત્ર ધનરાજની વરણી કરવામાં આવી હતી.
સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું હતું, તેને નરેન્દ્ર મોદીનું નામ આપીને દેશના પ્રથમ ગૃહ મંત્રીનું અપમાન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી સૂર્ય પ્રતાપસિંહે જાહેર કર્યું હતું કે, સંસદના ભૂમિપૂજન કે ઉદઘાટનમાં રાષ્ટ્રપતિને બોલાવવામાં પણ આવ્યા ન હતા. રેલવેના પુલિયાનું ઉદ્ઘાટન પણ વડા પ્રધાન કરે છે. ત્યારે વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કર્યું હતું. એ સાંભળીને મને આશ્ચર્ય થયું હતું. હવે ખબર પડી કે તેમનો હેતુ સ્ટેડિયમનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાવવાનો હતો. આત્મમુઘતાની હદ હતી.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમમાં ‘અદાણી ઍન્ડ’ અને ‘અંબાણી ઍન્ડ’ને લઈને પણ વિવાદ હજું પણ ચાલે છે. અદાણી ઍન્ડ, રિલાયન્સ ઍન્ડ. ક્રિકેટનો ક ન જાણનારા અમિત શાહના પુત્ર જય અમિત શાહના વડપણ હેઠળ છે. રિલાયન્સે નોર્થ પૅવેલિયનને સ્પૉન્સર કર્યું છે, જ્યારે દક્ષિણ પૅવેલિયનને અદાણી જૂથે સ્પૉન્સર કર્યું છે.
236 એકર વિસ્તારમાં ‘સરદાર પટેલ ખેલ સંકુલ’નું નિર્માણ કરવાની જાહેરાત કરી પણ તેમાં બીજા કોઈ સ્ટેડિયમ બન્યા નથી. જેના કારણે અમદાવાદ દેશનું ખેલ પાટનગર બનવાની શેખી મારવામાં વતી હતી. ખેલ સંકુલમાં અલગ-અલગ 50 પ્રકારની રમતો રમાવાની હતી. પણ ત્યાં બીજી કોઈ રમતો રમાતી નથી.
ઇંગ્લૅન્ડની ટીમના ટ્વીટમાં લખ્યું છે, ‘સરદાર પટેલ સ્ટેડિયમ. એક લાખ 10 હજારની બેઠકક્ષમતા. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ.’
પૂર્વ વડાપ્રધાન અને ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીના નામ પર 2 ક્રિકેટ સ્ટેડિયમ આવેલા છે. 2019ના વર્ષમાં નવી દિલ્હીમાં આવેલા ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. ભારતમાં એક પણ સ્ટેડિયમ કોઇ ક્રિકેટરના નામ પર નથી.
છેલ્લે મેચ વખતે, રાષ્ટ્રધ્વજ અંદર નહીં લઈ જવા દેતાં દર્શકોનો હોબાળો; મહિલાની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. એક દર્શક અંદર ઘુસી આવ્યો હતો.
વેરા વિવાદ
ગુજરાત ક્રિકેટ એસોસિએને ચાર માસથી મોટેરા સ્ટેડિયમના ચાર્જનો 10.15 કરોડનો હપ્તો ભર્યા ન હતા.ગુજરાત ક્રિકેટ એસોસિએન અને અમદાવાદ મહાનગરપાલિકા વચ્ચે મોટેરા સ્ટેડિયમના બેટરમેન્ટ ચાર્જના રૂ. 60.96 કરોડનો વિવાદ 2020થી ચાલી રહ્યો છે.
ફેબ્રુઆરી 2020માં AMCએ બીયુ પરમીશન વખતે બેટરમેન્ટ ચાર્જના રૂ.60.96 કરોડ ભરવાના હતા. રૂ.60.96 કરોડની રકમના 10 હપ્તા કરી આપ્યા હતા. પણ GCAએ ફેબ્રુઆરી 2020માં 6.09 કરોડની રકમનો પ્રથમ હપ્તો ભરી બીયુ પરમીશન મેળવી હતી. માર્ચ 2021માં બીજા હપ્તાની સાથે વ્યાજ સાથે કુલ રૂ.10.15 કરોડની રકમ ભરવાની હતી. જે 4 મહિના વીતી ગયા છતાં ભર્યા ન હતા. રૂ. 60.96 કરોડનો બેટરમેન્ટ ચાર્જ માફ કરવા રજૂઆત કરી હતી. વ્યાજ સાથે હપ્તો વસૂલાયો નથી.
AMC દ્વારા વર્ષ 2018માં GCAને અમદાવાદ શહેરની મોટેરા-કોટેશ્વર ટીપી સ્કીમ નંબર 48ના મોટેરા ગામના સરવે નંબર/બ્લોક નંબર 282/અ-પૈકી+276+275+277, ફાઇનલ પ્લોટ નંબર 69ની જમીનમાં હયાત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના સ્ટ્રક્ચરને તોડીને નવેસરથી ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટેની વિકાસ પરવાનગી આપવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2020માં મોટેરા સ્ટેડિયમની બીયુ પરમીશન માગવામાં આવી હતી. બીયુ પરમીશન આપતાં પહેલાં બેટરમેન્ટ ચાર્જ ભરવાની હતી. ત્યારપછી નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પહેલી રાજકીય સભા હતી.
GCA તરફથી અપાયેલી ખાતરી મુજબ તેઓએ માર્ચ 2021માં AMCમાં બેટરમેન્ટ ચાર્જની રકમ અને વ્યાજ સાથે રૂ.10,15,70, 022 ભરવાના હતા, પણ તેઓએ હજુ સુધી આ રકમનો હપ્તો જમા કરાવ્યો નથી.
2021 અને જુલાઇ 2021માં ક્રિકેટ સંગઠનના સેક્રેટરીને પત્ર કમ નોટિસ મોકલીને હપ્તો ભરવા માટે અનુરોધ કર્યો છે. પણ તેઓ દ્વારા ચાર મહિના વીત્યા પણ હજુ સુધી હપ્તાની રકમ ભરી નથી.
આંદોલન
માર્ચ 2021માં સરદાર પટેલનું નામ બદલીને મોદી કરતાં કરમસદ નાગરિક સમિતિ બનાવીને કરમસદ 40 સાથે 200 લોકો આંદોલન શરૂ કર્યું હતું. સરદારના પુતળા પાસે બેસીને આખા ગુજરાતમાં ગામ અને શહેરોમાં આંદોલન કર્યા હતા. બારડોલીથી યાત્રા કાઢી તો તેના પર પોલીસે લાઠીચાર્જ કરીને રેલી વિખેરી નાંખી હતી.સ્ટેડિયમનું નામ મોદીનું નામ દૂર કરવા માટે અડાલજમાં બેઠક હતી. હવે યાત્રા નિકળવાની છે. પાટીદારોની પંચાયત થોડા દિવસો પહેલાં મળી હતી. સરદાર સન્માન સંકલ્પ સમિતિ આંદોલન કરી રહી છે. 33 જિલ્લામાં તેઓ સક્રિય છે.