ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, નર્સ તેમજ મેડીકલ સ્ટાફને સરકાર દ્વારા સલામતીના સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે કે સારવારનું કામ કરી રહેલા આરોગ્ય સ્ટાફના આરોગ્યનું કોઇ જોખમ ઉભું થવું જોઇએ નહીં.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના ખાનગી ક્ષેત્રના તબીબોની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાધાન્ય આપતાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના દવાખાના-કલીનીક-હોસ્પિટલોમાં આવતા પેશન્ટસ-દરદીઓની સારવાર કરતા ખાનગી તબીબોને પણ N-95 માસ્ક વિના મૂલ્યે આપવામાં આવશે મુખ્યમંત્રીના આદેશ અનુસાર ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત પ્રેસિડેન્ટ ડૉ. મોના દેસાઇને આ હેતુસર રપ હજાર N-95 માસ્ક રાજ્ય સરકારે વિનામૂલ્યે પુરા પાડયા છે
રાજ્યમાં લોકડાઉનની સ્થિતીના દસમા દિવસે નાગરિકો-પ્રજાજનોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાએ પૂરતી માત્રામાં ઉપલબ્ધ થાય તેવા સુનિશ્ચિત આયોજનની વિગતો આપતાં અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં ૪૭.૪૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. ૧ લાખ ૧ હજાર ૧૮ર કવીન્ટલ કુલ શાકભાજી જેમાં બટાટા, ડુંગળી, ટામેટા અને અન્ય લીલા શાકભાજીનો સમાવેશ થાય છે તેનો આવરો થયો છે. ફળફળાદિની આવક ૧પ,૪૪૦ કવીન્ટલ રહી છે. રાજ્યની તમામ ૭ર શાકમાર્કેટ કાર્યરત છે અને ત્યાંથી આવા શાકભાજી-ફળફળાદિનું રીટેઇલ વેચાણ થાય છે.
રાજ્યમાં આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓ લોકોને સરળતાએ મળી રહે તે માટે જરૂરી વ્યકિતઓ, નાના વેપારીઓ, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા વ્યકિતઓ વિગેરેને કુલ ર લાખ રપ હજાર પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી રાજ્યના ૮ લાખ અંત્યોદય અને પ૮ લાખ PHH કાર્ડધારકો મળી ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે થઇ રહ્યું છે.