રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે જેને લઇ તમામ રાજકીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે પાર્ટીઓમાં ભરતી મેળોઓ પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લવાનાર એવા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે નરેશ પટેલ આજે દિલ્હીની મુલાકાતે ગયા હતા જયા તેઓએ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરી હતી તેને લઇ કોંગ્રેસમાં નરેશ પટેલ જોડાશે તેવી શક્યતા પ્રબળ બની છે એપ્રિલ મહિનાના અંતિમ દિવસોમાં સત્તાવાર જાહેરાત કરશે ચૂંટણી નજીક આવતા નરેશ પટેલની મુલાકાત ખૂબ જ સૂચક મનાવામાં આવી રહી છે પરંતુ નરેશ પટેલે સમાજની સંસ્થા દ્ધારા રાજ્યભરમાં સર્વે કરવામાં આવી રહ્યા છે પ્રશાંત કિશોરે ગુજરાતના ચૂંટણીમાં કોંગ્રેસ માટે ચહેરા તરીકે નરેશ પટેલની પસંદગી ઉતારી છે પ્રશાંત કિશોરે ગુજરાત વિધાનસભા 2022ની ખૂબ મોટી જવાબદારી સોંપાઇ છે જે અંગે સૂત્રો અનુસાર હાઇકમાન્ડ દ્ધારા રણનિતીકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસ જોડાવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે કોંગ્રેસે થોડાક સમય આગાઉ નરેશ પટેલને જોડાવા માટે મુખ્યમંત્રી પદની ઓફર આપી હતી જેમાં નરેશ પટેલના નેતૃત્વનામાં ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે
કોણ છે નરેશ પટેલ ?
કાગવડ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના 85 લાખ લોકોનું પ્રતિનિધત્વ કરતા આગેવાન છે નરેશ પટેલ એક સામાજિક કાર્યકર છે જેમણે પોતાના જીવન સમાજના ઉત્થાન ચિંતામાં વિતાવી છે
કોંગ્રેસ જોડાવાથી કોંગ્રેસને કેટલો ફાયદો ?
નરેશ પટેલ પાટીદાર સમાજનુ મોટુ માથું છે સૌરાષ્ટ્રમાં તેમનો ખૂબ દબદબો છે સમાજિક નેતાઓથી લઇ રાજ્કીય નેતાઓ તેમની સૂચનો અને માર્ગદર્શન પર ચાલે છે જે તેઓ કોંગ્રેસમાં જોડાયા તો કોંગ્રેસને 50થી વધુ બેઠકો પર ફાયદા કરાવી શકે તેમ છે