માલગઢમાં ધર્મ પરિવર્તનની ઘટના બાદ શનિવારે બનાસકાંઠાનું ડીસા શહેર સંપૂર્ણ બંધ રહ્યું હતું. ડીસામાં હિન્દુ સંગઠનોએ ગાર્ડન સર્કલથી રેલી કાઢી હતી. હિંદુ સમાજની રેલી પૂરી થયા બાદ પણ ભીડ એકઠી થઈ ગઈ હતી. આથી ડીસામાં રેલી બાદ પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં ખળભળાટ મચી ગયો હતો. ડીસામાં બનેલી ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે લોકોમાં જ્વાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ધર્મ પરિવર્તનની ઘટના બાદ શનિવારે ડીસા બંધ રહ્યું હતું. ડીસા બંધના એલાનને વેપારીઓ અને દુકાનદારોએ સમર્થન આપ્યું હતું. આ મુદ્દે વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ રેલી કાઢી હતી. રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનોના લોકો ટ્રેક્ટર સાથે જોડાયા હતા. ત્યારબાદ પોલીસે ડીસાના હીરા બજાર પાસે સૂત્રોચ્ચાર કરતા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં એક યુવક ઘાયલ થયો હતો. પોલીસે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોની અટકાયત પણ કરી હતી.
મામલો શું હતો
માલગઢમાં પુત્રી, પુત્ર અને પત્નીનું ધર્માંતરણ કરીને 25 લાખની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ પુત્રીના પિતાએ ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પુત્રીના પિતાની સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલામાં 5 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસમાં પાલનપુર પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે અને 3 લોકો હજુ ફરાર છે.