Sajid Kothari: સુરતને લૂંટવામાં મોકલો, અંગ્રેજો અને મરાઠાઓએ બાકી રાખ્યું નથી.
Sajid Kothari: હવે અહીં ગુંડાઓ લૂંટી રહ્યાં છે. છતાં પ્રજા જેને ચૂંટીને મોકલે છે એવા પ્રતિનિધિ પણ સંગઠીત ગેંગ સામે કંઈ કરવા તૈયાર નથી. તેઓ પણ શિવાજીએ સુરતને બે વખત લૂટ્યું હતું અને એક વખત સુરતને સળગાવી દીધું હતું તેમ સુરતને ગુંડાગીરીથી સળગતું 22 વર્ષથી જોઈ રહ્યાં હતા.
સજ્જુ પૈસા અને સંપત્તિ સિવાય કંઈ જોતો નથી. તેના સિવાય તેને કંઈ જોઈતું પણ નથી.
તેણે સુરતમાં અનેક લોકોની સંપત્તિ પચાવી પાડી. ખંડણી ઉઘરાવી હતી. તેની પાસે રૂ. 100 કરોડ જેવી સંપત્તિ હોવાનું તેના વિરોધીઓ માની રહ્યાં છે.
જુન 2022માં સજ્જુ કોઠારી ઉર્ફે નાનપુરા જમરૂખગલી ખાતે રહેતા કુખ્યાત સાજીદ ઉર્ફે સજજુ કોઠારીની રૂ. 20 કરોડની મિલકત પોલીસને હાથ લાગી હતી. મકાન અને દુકાન સહિત કુલ 12 મિલકતો હતી. 10 વર્ષમાં સજ્જુ કોઠારીએ આ તમામ મિલકતો વસાવી હતી. છતાં પોલીસ અંધારામાં હતી.
પોલીસને આરોપીની મકાન અને દુકાન સહિત કુલ 12 મિલકતો મળી આવી
પોતાના નામે અને પત્ની-બાળકોના નામે મિલકતો વસાવી હતી. તે અંગે અદાલતને જણાવી મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો.
મકાન ખાલી કરાયું
સજજુ કોઠારીને નાનપુરાની 2015માં કબજે કરેલી મિલકત ખાલી કરાવીને પોલીસે મૂળ માલિકને 24 એપ્રિલ 2022માં પરત કરાવી હતી. ઘોડદોડ રોડ ખાતે રહેતા અનિલભાઈ છટવાની ચીન 100 વાર જગ્યામાં બેકરી ચલાવતા હતા.
બળજબરીથી મિલકત પચાવી પાડવા માટે જાણીતો હતો. કોઠારી પર લેન્ડ ગ્રેબીગનો ગુનો દાખલ થયો હતો.
28 માર્ચ 2022માં મોંઘીદાટ 12 જેટલી કાર સજ્જુ પાસેથી મળી હતી.
23 ફેબ્રુઆરી 2022માં તપાસ કરતાં તેને ત્યાંથી મોંઘા પક્ષીઓ અને મોંઘા ઘોડા મળી અવ્યા હતા. તેને આવો રજવાડી શોખ હતો.
આવકવેરા વિભાગ
સજ્જુ કોઠારી સામે આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. 6 મિલકત ટાંચમાં લીધી હતી. જેમાં ફ્લેટ દુકાનો હતી. 31 મિલકતનાં નાણાં ક્યાથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે.
કોઠારીએ ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ લૂંટ, ધાડ કરી રૂપિયા ભેગા કર્યા હતા. પોતાના નાણામાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે. મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ છે.