રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા મેદાનમાં ઉતર્યા છે. શંકરસિંહ વાઘેલા NCPથી નારાજ હોવાના કારણે પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. .ત્યારબાદ તેમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને લાવવાનો સિંહફાળો મારો છે. મને સત્તાની કોઈ લાલચ નથી.
તેમણે ઈશારો ઈશારામાં વાત કરતા જણાવ્યું હતું કે, આજકાલ લોકો ભાજપમાં જાય છે, જે એક ગયા હજુ બે જશે. મેં કોંગ્રેસને આજે પણ કહ્યું છે. મેચ ફિક્સિંગ થાય ત્યાં ન રહેવાય. પણ મારું કોઈએ ના સાંભળ્યું. ગુજરાતમાં ભાજપને લાવવાનો સિંહફાળો મારો છે. મને સત્તાની કોઈ લાલચ નથી. પરંતુ હવે જે વિધિ કરવાની હશે તો હું જલ્દી જ કરીશ. સત્તા સામે પડવા બેદાગ રહેવું પડે. ઈડી અને સીબીઆઈ કે પોલીસથી ડરાય નહિ. અમે સમાજના ડોકટર છીએ. રખડતો નથી આવ્યો. પ્રજાનું ભલું કર્યું છે. ટેક્સ ટાઇલ મંત્રી તરીકે ખેડૂતોનું ભલું કર્યું છે’.