“14 મહિના પછી ભાવિકો વગર પાસ સોમનાથ મંદિરના દર્શન કરશે,કોરોના ના કારણે ન હતું પ્રવેશ
સોમનાથ મંદિરએ આવતા ભાવિકોએ માસ્ક ફરજીયાત અને સેનેટાઇઝિંગ સહિતના નિયમોનુ પાલન કરવું પડશે.
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં લાગેલા કોરોનાના નિયમો હળવા કરાયાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 14 મહિનાઓથી સોમનાથ મહાદેવના દર્શન માટે બનાવેલા પાસ નિયમ સિસ્ટમ આજથી બંધ કરવામાં આવી છે.હવે પાસ વગર પણ દર્શન કરાશે.જે મુજબ આજથી સોમનાથ મંદિરએ દર્શન કરવા આવતા શિવ ભક્તોએ ઓફલાઇન કે ઓનલાઈન પાસ દર્શન માટે નહીં લેવો પડે પરંતુ માસ્ક, સેનેટાઈઝીંગ સહિતની સાવચેતી રાખવી પડશે.
દુનિયાભરમાં કોરોના રોગચાળો ફેલાવાને કારણે વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરમાં સામાજિક અંતર જાળવવા માટે કોવિડની માર્ગદર્શિકા મુજબ નિયમો જાહેર અને અમલમાં મૂકવામાં આવ્યા હતા. જે મુજબ સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરવા આવતા ભક્તો માટે પાસ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી હતી. જેમાં ભક્તોએ દર્શન માટે ઓનલાઈન કે ઓફલાઈન પાસ લેવો ફરજીયાત હતું. ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી દર્શન માટે ઓનલાઇન સ્લોટની લિંક છે. પાસ લિંક દ્વારા ઓનલાઈન પાસ બુક કરીને દર્શન પાસ મેળવી શકાતો જ્યારે મંદિર પરિસરમાંથી કાઉન્ટર પરથી ઓફલાઈન પાસ મેળવી શકાતો હતો.
દરમિયાન આજે તા:11 થી સોમનાથ મંદિરમાં પાસ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ભક્તો સોમવારથી પાસ વગર સોમનાથ મંદિરના દર્શન કરી શકશે. સોમનાથ મંદિરની મુલાકાત વખતે માસ્ક પહેરવું ફરજિયાત બનાવવા સહિત દરેક શિવભક્તોએ કોવિડની માર્ગદર્શિકાનું સખત પાલન કરવું જોઈએ.
તા.20 જુલાઇ 2020ના શ્રાવણ માસથી સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરવા માટે ભાવિકો માટે પાસ સિસ્ટમ ફરજીયાત હતી.જે આજે 14 મહિના બાદ હવે તા.11 ઓકટોમ્બર 2021 થી પાસ સિસ્ટમ બંધ કરાતા હોવાથી દરેક ભાવિકો પાસ મેળવ્યા વગર દર્શન કરશે સોમનાથ મંદિરમાં જઈ શકશે.