કોરોના વાયરસથી દેશના વિવિધ ક્ષેત્ર ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. જેના કારણે કર્મચારીઓની નોકરી ઉપર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અવારનવાર છૂટા કરવાના સમાચાર મળી રહ્યા છે. હવે અહેવાલ છે કે ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગી 1000 કર્મચારીઓને છૂટા કરી શકે છે.એક અહેવાલ અનુસાર, કોરોના સંકટને કારણે માગમાં 60 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર સ્વિગીએ પણ તેની પુષ્ટિ કરી છે, પરંતુ કંપનીએ કર્મચારીઓની સંખ્યા જાહેર કરી નથી. અહેવાલમાં જણાવાયું છે કે ભાડા ઘટાડવા માટે કંપની તેના અડધા ક્લાઉડ કિચનને બંધ કરી શકે છે.સ્વિગી દ્વારા છટણીના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઑફ ઈન્ડિયા (એનઆરએઆઈ) એ મોટા નુકસાનની સંભાવના વ્યક્ત કરી છે. એનઆરએઆઈના અંદાજ મુજબ ઝોમેટો-સ્વિગીની ડિલિવરી ચેન નીચે આવીને 90 ટકા થઈ ગઈ છે. એક અનુમાન છે કે કોરોનાને કારણે તેના 5 લાખ સભ્યોને વર્ષ 2020માં 80 હજાર કરોડનું નુકસાન થઈ શકે છે.દેશમાં 90 ટકા રેસ્ટરાં લીઝ્ડ જગ્યા પર ચાલે છે. આશરે 20 ટકા આવા સંગઠિત રેસ્ટરાં મોલમાં છે. આ સિવાય બાકીના શહેરો મુખ્ય વિસ્તારોના રસ્તાઓ પર છે. આ રેસ્ટોરાંમાં તેમની આવકનો 15 થી 30 ટકા હિસ્સો ચૂકવવો પડે છે.
Monday, April 29