દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ માટેના સત્તા મંડળ માટે ક્યા ક્યા ગામોનો સમાવેશ થશે તેને લઈને નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે.જેમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કુલ નવ ગામો છે જેનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 5 જેટલા ગામોનો આંશિક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે નવ ગામોનો સંપૂર્ણપણે સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કેવડિયા, વાગડિયા, નવાગામ, લીમડી, ગોરા, વસંતપુરા, મોટા પીપરીયા, નાના પીપરીયા, ઇન્દ્રણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જયારે ગરુડેશ્વર, બોરિયા, ગભાણા, ભુમલિયા, એમ પાંચ ગામોના કેટલાક વિસ્તારને લેવામાં આવ્યા છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે કેવડિયા વિસ્તારમાં આ અગાઉ KADA યોજના લાવવામાં આવી હતી.ત્યારે ભારે વિરોધ ના પગલે તેની સ્થગિત કરવામાં આવી હતી અને નવો ગરુડેશ્વર તાલુકો બન્યો હતો.ત્યારે બાદ અહીંયા કેવડિયા નજીક દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને માટે એક વિશેષ કાયદો પસાર કરવામાં આવ્યો છે.આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયક વિધાનસભામાં પાસ કર્યું હતું ત્યાંરે આદિવાસી સમાજમાં ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે.અને આ કાળા કાયદો છે તેમ કહીને આને રદ કરવા માટે આદિવાસી સમાજની માગ ઉઠી છે.