દરેક મંદિરનું પોતાનું મહત્વ અને માન્યતા હોય છે, આવું જ એક મંદિર જૂનાગઢમાં પણ આવેલું છે. જૂનાગઢમાં આવેલ હીરા ગીરી માતાજી ઐતિહાસિક શક્તિ સ્થાન કે જે માત્ર નવરાત્રીના દિવસો માટે જ ખુલ્લુ મુકવામાં આવે છે ત્યારે માતા પ્રત્યેની અતૂટ આરાધના સાથે માતાના દર્શન કરવા ભક્તોની ભીડ જામે છે. જ્યારે, માતાજીના મંદિરના દરવાજા ખોલવાના થોડા દિવસો પહેલા, લોકો દીવા અને આરતીની વસ્તુઓ માટે તેલ આપવા આવવાનું શરૂ કરે છે. નવરાત્રિના નવ દિવસ સુધી અહીં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ મંદિરના દરવાજા અષ્ટમી સુધી લોકો માટે દર્શન માટે ખુલ્લા રહેશે.
નવરાત્રીના નવલ નોરતામાં માતાની આરાધના કરવામાં આવે છે
માતાજીના મંદિરના દરવાજા નવરાત્રિના પ્રથમ દિવસે ખોલવામાં આવે છે, જે માતાજીના મંદિરમાં ઘટસ્થાપન બાદ સવારે 7:30 વાગ્યાથી દર્શન માટે ખોલવામાં આવે છે, જ્યાં અષ્ટમી સુધી દરેક લોકો જઈ શકે છે.