વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલી પોતાની પુત્રી માટે મોકલેલ ખાદ્ય સામગ્રીનું પાર્સલ 20 દિવસે પોસ્ટ ઓફિસે પરત આવ્યું હતુ. પરત આવેલ પાર્સલ ચારે બાજુથી ફાટેલી હાલતમાં હતું અંદરની સામગ્રી વેર વિખેર હાલતમાં જોવા મળી હતી.
બનાવની વિગત એવી છે મોં. મેડિસલીમ રહેવાસી વિજાપુર રોડ હિંમતનગરના ઓએ પોતાની પુત્રીને જોર્જિયા ખાતે અભ્યાસ અર્થે મોકલી છે. ત્યાં તેને જમવામાં મુશ્કેલી નડતા પોતાના પિતાને ફરિયાદ કરી હતી આથી તેણીના પિતાએ બે ખાદ્ય પદાર્થના પાર્સલ પેક કરીને કરીને તા. 2 જાન્યુઆરીના રોજ હિંમતનગર પોસ્ટ ઑફિસની પાર્સલ ઓફિસ થી જોર્જિયા મોકલાવ્યા હતા. જેમાંથી એક પાર્સલ દીકરીને ડિલિવર થઇ ગયું અને બીજું પાર્સલ અત્યન્ત દયાજનક પરિસ્થિતીમાં હિંમતનગર પાર્સલ ઓફિસે પરત આવ્યું હતું પાર્સલ ચારે બાજુથી ફાટેલું હતું અને અંદરની તમામ સામગ્રી વેર-વિખેર પડી હતી.પોસ્ટ ઓફી સુપ્રિટેન્ડેન્ટ એન કે પંડ્યા સાથે વાતચિત કરતા તેઓએ જણાવ્યું હતું કે મુંબઈ કસ્ટમ ઓફિસ ચેકીંગ થયા બાદ આ પાર્સલ પરત આવ્યાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। અને ક્યાં કારણોસર પાર્સલ પરત આવ્યું અને આવી ફાટેલી હાલતમાં કેવી રીતે અને ક્યાં ફાટ્યું તેની તપાસ કરવામાં આવશે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.