ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે પણ ભારતે રશિયન તેલ નીતિમાં નથી કર્યો ફેરફાર: વૈકલ્પિક પુરવઠા માટે જ યોજના
અમેરિકા તરફથી વધતા દબાણ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી છતાં, ભારતે રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદી પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત સરકારે માત્ર તેની રિફાઇનરીઓને વૈકલ્પિક પુરવઠા માટે તૈયારી રાખવા માટે કહ્યું છે, નકે તેલ ખરીદી રોકવા માટે.
અહેવાલ અનુસાર, ભારતે પોતાની ઉર્જા જરૂરિયાતો અને વૈશ્વિક દબાણ વચ્ચે સંતુલન સાધવા માટે આ વ્યૂહાત્મક પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,સરકારી અને ખાનગી રિફાઇનરીઓ પોતપોતાના વેપારી હિતોને ધ્યાને રાખીને સપ્લાય કરાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર રશિયન તેલ અને સંરક્ષણ ઉપકરણો પર આધાર રાખવાનો આરોપ મૂક્યો હતો અને અમેરિકામાંથી આયાત થતા કેટલાક ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લાદી દીધો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે સાંભળ્યું છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરશે, જેને તેમણે “સકારાત્મક પગલું” ગણાવ્યું હતું.
ભારતે તેના ઊર્જા આયાતના નિર્ણયને હંમેશા બજાર પર આધારિત રાખ્યો છે.
હાલમાં પણ એ જ નીતિ ચાલુ છે. જોકે, સરકારએ રિફાઇનરીઓને રશિયા સિવાયના વિકલ્પો શોધવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. જો રશિયાથી પુરવઠો અટકી જાય તો એના વિકલ્પ તરીકે બીજાં સ્ત્રોત ઉપયોગમાં લઇ શકાય તે માટે આ યોજના બનાવવામાં આવી રહી છે.
યુક્રેન યુદ્ધ પછી ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનાર સૌથી મોટો દેશ બની ગયો છે. પહેલા રશિયાથી તેલ આયાત ગૌણ હતી, હવે તે ભારતની કુલ તેલ આયાતનો ત્રિચોથો હિસ્સો છે. બીજી બાજુ, જો રશિયાથી આયાત બંધ થાય તો ખાડી દેશોથી ઊંચા ભાવમાં તેલ આયાત કરવું પડશે, જેનાથી ખર્ચ વધી શકે છે અને દેશની આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે.
મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે સારો સંબંધ છે. તાજેતરમાં બંને વચ્ચે મુલાકાતો અને નવા ઓઇલ કરાર થયા છે. ભારતની પોલિસી સ્પષ્ટ છે – ઊર્જા સુરક્ષા પ્રથમ.

