ગલેલીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને, તાડના ઝાડનું મહત્વ ફરી ચર્ચામાં

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

તાડગોલા કેમ ખાસ? ભારતની આગેવાનીથી લઈને સ્વાસ્થ્ય લાભો સુધીની સંપૂર્ણ જાણકારી

ઉનાળામાં સૌને ગમતું ફળ ગલેલી, જેને Ice Apple અથવા તાડગોલા તરીકે ઓળખવામાં આવે છે, તેનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ભારત કરે છે. દેશનું અનુકૂળ હવામાન અને દરિયાકાંઠા વિસ્તારોમાં વ્યાપક ખેતીને કારણે અહીં તેની મોટી પ્રમાણમાં ઉપલબ્ધતા રહે છે. પ્રદેશ પ્રમાણે તેને અલગ-અલગ નામો મળે છે, પરંતુ સૌથી વધુ માંગ તમિલનાડુમાં છે, જ્યાં તેને નુન્ગુ તરીકે ઓળખવામાં આવે છે. તાડના વૃક્ષના મહત્ત્વને માન આપી રાજ્ય સરકારે તેને રાજ્ય વૃક્ષ તરીકે પણ સ્વીકાર્યું છે.

તાડના ફળની ખાસિયતો અને સ્વાદ

તાડના ઝાડ પર આવતું આ ફળ બહારથી કઠોર પરંતુ અંદરથી જેલી જેવી નરમ રચના ધરાવે છે. તેનો સ્વાદ નાજુક નારિયેળ જેવી મીઠાશ આપતો હોય છે અને ઘણી વખત લીચીને યાદ અપાવે છે. તેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી ઉનાળામાં શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે. યોગ્ય રીતથી તેનો જેઠો ભાગ બહાર કાઢવો પડે છે, કેમ કે તેની નરમ રચના સરળતાથી ક્ષતિગ્રસ્ત થઈ જાય છે.

india ice apple production 2.png

- Advertisement -

ક્યાં ક્યાં દેશોમાં થાય છે તાડની ખેતી

ભારત સિવાય તાડનાં ઝાડ થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, કંબોડિયા જેવા દેશોમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. થાઇલેન્ડમાં તો આ ફળનો ઉપયોગ પીણાં, મીઠાઈઓ અને તાડના ગોળ બનાવવા માટે થાય છે. આપણા દેશમાં મુખ્યત્વે તે જેમ છે તેમ ખવાય છે, પરંતુ દક્ષિણમાં નુન્ગુ શરબત અને ખીર જેવી વાનગીઓમાં તેનો ઉપયોગ વધતો જોવા મળે છે.

સ્વાસ્થ્ય માટે ગલેલીના અનેક ફાયદા

લગભાગ 90 ટકા પાણી ધરાવતું આ ફળ ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચાવે છે અને શરીરને તરત ઊર્જા આપે છે. તેમાં રહેલા પોટેશિયમ, વિટામિન બી અને સી જેવા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઓછી કેલરી હોવાને કારણે વજન ઘટાડવા માંગતા લોકો માટે પણ આ ઉત્તમ વિકલ્પ છે. તેના ફાઇબર અપચો, કબજિયાત અને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. ઉપરાંત, તાડનું ઝાડ ભૂગર્ભજળ વધારવામાં અને જમીન ધોવાણ રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

- Advertisement -

india ice apple production 1.png

તાડના ઝાડની પર્યાવરણીય અને સાંસ્કૃતિક મહત્તા

સદી સુધી જીવતું તાડનું ઝાડ પાણી વગર પણ ટકી રહેતું હોવાથી પર્યાવરણ માટે અત્યંત મહત્વનું છે. આપણા પૂર્વજો તાડના પાંદડાઓ પર ગ્રંથો લખતા હતા અને ઘરોની છતથી લઈને દૈનિક જીવનની અનેક ચીજો બનાવવા માટે તેનો ઉપયોગ કરતાં હતા. આ કારણે તેને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.