યુપીના પ્રયાગરાજમાં શનિવારે રાત્રે અતીક અહેમદ અને અશરફની હત્યાને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. જ્યાં યુપીમાં આ ઘટનાને લઈ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યુપી સરકાર પર પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે હું શરૂઆતથી જ કહી રહ્યો છું કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર કાયદાની મર્યાદામાં સરકાર ચલાવી રહી નથી, પરંતુ બંદૂકના શાસન પર ચલાવી રહી છે અને તે 2017 થી ચાલુ છે. તેણે કહ્યું કે આ એક હત્યા હતી.
ઓવૈસીએ કહ્યું કે આ ઘટના યુપીમાં કાયદાના શાસન પર પણ સવાલો ઉભા કરે છે. શું આ ઘટના બાદ લોકોને બંધારણ અને કાયદામાં વિશ્વાસ રહેશે ખરો?
ઓવૈસીએ કહ્યું કે એવું નથી કે કોઈ જઈને તરત જ કોઈને ગોળી મારી દે. તમે જોઈ શકો છો કે હુમલાખોરો તેમના હથિયારોનો જે રીતે ઉપયોગ કરે છે કે તેઓનો હાથ સંપૂર્ણપણે સ્થિર છે. હું શસ્ત્રોનો ઉપયોગ પણ જાણું છું. મેં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ લીધી છે. ફાયરિંગ કરતી વખતે તેનો હાથ હલતો નથી.
તેની નજર તે લોકો પર છે.
તેઓ જાણે છે કે પહેલા ક્યાં ગોળી મારવી જોઈએ, તેથી આ ઘાતકી હત્યા છે. હુમલાખોરો પ્રોફેશનલ છે. આમાં ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની શું ભૂમિકા છે? પોલીસની હાજરીમાં, મીડિયાની હાજરીમાં આ લોકોને મારનાર આ લોકો કોણ છે? આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ થવી જોઈએ
ઓવૈસીએ માંગ કરી હતી કે આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક સમિતિ દ્વારા થવી જોઈએ. હું સર્વોચ્ચ અદાલતને વિનંતી કરું છું કે તે આ બાબતની સુઓમોટો સંજ્ઞાન લે અને સમયસર આ મામલાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરે. તે ટીમમાં યુપીનો કોઈ અધિકારી ન હોવો જોઈએ.