આપણા દેશ માં દેશીપણું જતું જ નથી અગાઉ ટ્રેન જ્યાં જવાનું હતું તેને બદલે બીજે પહોંચી ગઈ અને હવે પાયલોટ રશિયા નજીક પહોંચી પણ ગયો અને ખબર પડી કે તેને કોરોના છે તો તેને પાછો બોલાવતા પાયલોટ વિમાન ઉડાડી ઈંધણ ના ભુક્કા કાઢી દિલ્હી પરત આવી ગયો વાત જાણે એમ છે કે વંદે ભારત મિશન અંતર્ગત રશિયામાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે એર ઈન્ડિયાની દિલ્હી-મોસ્કોની ફ્લાઇટ રવાના થઈ ગયા બાદ પરત બોલાવવી પડી હતી, અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ફ્લાઈટ ઉઝબેકિસ્તાનની એરસ્પેસ પર પહોંચી ત્યારે અમારી ગ્રાઉન્ડ ટીમના સભ્યોને જાણમાં આવ્યું કે વિમાનનો એક પાઇલટ કોરોના પોઝિટિવ છે. તેમાં કોઈ મુસાફરો નહોતા. અધિકારીએ એમ પણ કહ્યું કે વિમાનને તાત્કાલિક પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. શનિવારે બપોરે 12.30 વાગ્યે વિમાન દિલ્હી પહોંચ્યું હતું. ક્રૂ મેમ્બર્સને અલગ રાખવામાં આવ્યા છે. હવે રશિયામાં ફસાયેલા ભારતીયોને લાવવા બીજા વિમાનને મોસ્કો મોકલવામાં આવશે.
તમામ ક્રૂના રિપોર્ટ્સ ફ્લાઇટ પહેલાં તપાસવામાં આવે છે. ખાસ કરીને કોરોના રિપોર્ટને ચકાસવામાં આવે છે. એક પાઇલટનો રિપોર્ટ પોઝિટીવ હતો, પરંતુ ભૂલથી નેગેટીવ વંચાઈ ગયો હતો. આથી ગ્રાઉન્ડ ટીમે તેને ઉડવા માટે મંજૂરી આપી હતી.
એર ઇન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે આ કામના દબાણને કારણે થયું છે. દરરોજ 300થી વધુ ક્રૂ મેમ્બર્સની તપાસ કરવામાં આવે છે. દરેકનો અહેવાલ એક્સેલ શીટમાં આવે છે. ગ્રાઉન્ડ ટીમના સભ્યએ અહીં વાંચવામાં ભૂલ કરી હતી. આમ વારંવાર આવી ગંભીર ભૂલો કરતા રહેતા આપણા સરકારી ખાતા ના માણસો ને લઈ દેશ ના આવા ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈજ્જત નો ફાલુદો કરી રહ્યા છે.
