કોરોના ના હાહાકાર વચ્ચે દેશમાં લોકડાઉન ની સ્થિતિ વચ્ચે મોદીજી એ ત્રીજી વખત દેશ ને સંબોધન કર્યું છે હાલ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કરતા જણાવ્યું કે સામાન્ય રીતે મન કી બાતમાં તેઓ ઘણા વિષયોને લઈને આવતા હોય છે પણ આજે વિશ્વભરમાં કોરોનાના સંકટ છે ત્યારે બીજી વાત કરવી યોગ્ય જણાતી નથી. દેશમાં પોતના દ્વારા લેવાયેલ લોકડાઉન ની સ્થિતિમાં ગરીબો હેરાન થયા છે તે તમામની પોતે માંફી માંગે છે તેઓ પરિસ્થિતિ સમજી રહ્યા છે પરંતુ કોરોનાની વિરુદ્ધની લડાઈ માટે આ સિવાય કોઈ રસ્તો નથી. મારે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો છે. આ કારણે બીજી વખત માંફી માંગુ છું.
મનકી બાત માં તેઓ એ કહેલ મુખ્ય વાતો આ મુજબ હતી
ધૈર્ય રાખો , લોકડાઉનનું ચુસ્ત પાલન કરો
વડાપ્રધાને કહ્યું કે કોરોના માણસને ખતમ કરવાની જીદ્દ પર છે. તેથી સૌ કોઇને એકજૂથ થઇને લોકડાઉનનું પાલન કરવાનો સંકલ્પ લેવો પડશે. લોકડાઉનમાં ધૈર્ય દેખાડવાનું છે. અમુક લોકો કોરોનાની ગંભીરતાને સમજી રહ્યા નથી. પરંતુ હું કહેવા માંગીશ કે જરા પણ વહેમ માં ન રહેતા કે કઈ થશે નહીં તમારી ભૂલ થીદેશ બરબાદ થઇ જાય. કોરોનાની લડાઇમાં ઘણા એવા યોદ્ધા છે જેઓ પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
કોરોના ફાઇટર્સ સાથે વાત કરીને મને પણ પ્રેરણા મળી. કોરોનાથી સ્વસ્થ થયેલા રામ કુમારે જણાવ્યું કે હું આઇટી કંપનીમાં કામ કરું છું. છેલ્લા અમુક દિવસોમાં દુબઈ ગયો હતો , ત્યાંથી પરત ગયો તો સંક્રમણની માહિતી મળી. હોસ્પિટલમાં અમુક દિવસો સુધી મને ઘણું વિચિત્ર લાગ્યું. ડોક્ટર્સ અને નર્સે મને સ્વસ્થ થવાનો ભરોસો આપ્યો. પરિવારને જ્યારે માહિતી મળી ત્યારે હું ક્વોરેન્ટાઇનમાં હતો. હવે દિવસભર અલગ રૂમમાં રહું છું. મોદીએ રામને કહ્યું કે તમે તમારા અનુભવનો ઓડિયો બનાવીને ઇન્ટરનેટ પર મૂકો જેથી લોકો પ્રેરણા લે , આ તકે 73 વર્ષના અશોકજીએ કહ્યું- મારા બે દીકરા કામથી ઈટલી ગયા હતા. જ્યારે તેઓ પરત આવ્યા તો અમુક પરેશાની થઇ। તેઓ દિલ્હીની આરએમએલ હોસ્પિટલ ગયા, ત્યાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા. ત્યારબાદ આગ્રાના અન્ય 6 લોકો સફદરજંગ હોસ્પિટલમાં પોઝિટિવ મળ્યા હતા. અમને એમ્બ્યુલન્સ દ્વારા આગ્રાથી દિલ્હી લઇ જવામાં આવ્યા. હોસ્પિટલમાં મને અને પરિવારને કોઇ સમસ્યા થઇ નહીં. ડોક્ટર્સ અને નર્સનો વ્યવહાર ખૂબ સારો છે. હોસ્પિટલ સ્ટાફના આભારી છીએ. ખુશી છે કે મારી તમારી સાથે વાત થઇ. મોદીએ કહ્યું- તમે આગ્રામાં લોકોને નિયમોનું પાલન કરવા માટે કહો. ભૂખ્યાઓને ભોજન કરાવો. અમે તમારી હિંમત અને સમજદારીનું સન્માન કરીએ છીએ.
કોરોના મામલે લોકજાગૃતિ માટે પ્રધાનમંત્રીએ અમુક ડોક્ટરો સાથે પણ વાત કરી હતી
દિલ્હીથી ડો. નિતેશે કહ્યુંકે અમે આર્મી મોડમાં લોકોની સેવામાં લાગેલા છીએ. જે જરૂરી ચીજો છે તે તમે ઉપલબ્ધ કરાવી જ રહ્યા છે. અમે દર્દીઓને સમજાવી રહ્યા છીએ કે તમે ગભરાઓ નહીં. 14-15 દિવસમાં સ્વસ્થ થઇ જશો. ત્યારબાદ જ્યારે રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારે તમે ઘરે જઇ શકશો. અમે ટીમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે દર્દીઓનો સારો ઇલાજ અને પોતાની સુરક્ષા માટે સતર્ક રહે. મોદીએ કહ્યું- દુનિયાનો અનુભવ દર્શાવે છે કે આ બીમારીનું સંક્રમણ અચાનક વધે છે. ભારતમાં કોરોના સામે બધાએ એકજુથ થઈ લડાઈ લડવી પડશે તોજ લોકડાઉન સાર્થક ગણાશે, વડાપ્રધાન મોદીજી એ લોકો ને કોરોના અંગે ત્રીજી વખત સંબોધન કરી લોકો ને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
