કોરોના એ સમગ્ર વિશ્વ ને હચમચાવી નાખ્યું છે અને કેટલીય જીન્દગીઓ બરબાદ થઈ ગઈ છે ત્યારે ભારત માં પણ કોરોના એ લોકો ને ભયભીત કરી મુક્યા છે કેટલાય લોકો ના મોત થઈ ચૂક્યા છે અને કેટલાય સારવાર હેઠળ છે આંકડાઓ બદલાતા રહે છે હાલ લોકડાઉન ની સ્થિતિ છે આ બધા વચ્ચે બિહાર માં એવી ઘટના સામે આવી કે લોકો માં આક્રોશ છે વાત છે
બિહારના ગયા જિલ્લા ની કે અહીના અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજમાં એક યુવા પરણીતા ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે આવે છે અને બાદ માં તેને કોરોના વાયરસની શંકાના આધારે આઇસોલેશન વોર્ડમાં લઈ જવાય છે અને બહાર આવ્યા બાદ તે ઘરે પરત જતા જ તેનું મોત થઈ જાય છે. આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે કારણ કે કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યો હોવાછતાં એક હસતી ખેલતી યુવા પરણીતા નું કેવીરીતે મોત થઈ શકે , પણ વાત કઈક જુદી છે અને તે પ્રેગનન્ટ હતી અને તેની ઉપર રેગ્યુલર ચેકઅપ કરનાર ડોક્ટરે બે વાર ઉપરા ઉપરી રેપ કર્યો હોવાનું કહેવાય છે અને આઇસોલેશન વોર્ડ માં પણ એકલીજ હોવાથી ડોકટર ની વાસના ભડકી ઉઠી હતી અને બળાત્કાર કર્યા ની વાત ચર્ચાઈ રહી છે.
મહિનાના પરિવારજનોનો આરોપ છે કે તેની સાથે હોસ્પિટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મેડિકલ કોલેજે આ મામલે એક તપાસ સમિતિ ની રચના પણ કરી છે અને ગત તા.8 એપ્રિલના રોજ પોલીસ મથક માં એફઆઇઆર પણ દાખલ કરવામા આવી છે. મૃતક મહિલાનું પિયર લુધિયાણામાં છે. લોકડાઉન દરમિયાન તે 25 માર્ચે પોતાના સાસરે ગઇ હતી. તેનો ગર્ભપાત થઇ ગયો હતો. સતત બ્લીડીંગ થઇ રહ્યું હતું જે બાદ તેને 27 માર્ચે હોસ્પિટલ લઇ જવામાં આવીહતી જ્યાં ઇમરજન્સી વોર્ડ બાદ કોરોના આઇસોલેશન વોર્ડમાં મહિલાને રાખવામાં આવી ત્યારે રેગ્યુલર ચેકઅપ કરનાર ડોક્ટરે બે વાર તેની પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું મૃતક મહિલા ની સાસુ એ જણાવ્યું હતુ, તે આ વોર્ડમાં એકલી હતી. તેનો લાભ લઇને તેની નિયમિત તપાસ કરનાર ડોક્ટરે તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે ગત 3 એપ્રિલે તેણી નો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ઘરે મોકલી દેવામાં આવી પરંતુ તેને હજુ પણ બ્લીડીંગ થઇ રહ્યું હતું તે બાદ 6 એપ્રિલે તેનું કરુણ મોત થઈ ગયું હતું. મહિલા હોસ્પિટલથી પરત આવ્યા બાદ ભયભીત અને ગુમસૂન રહેતી હતી અનેકોઇની પણ સાથે વાતચીત કરતી ન હતી. તેની સાસુએ જણાવ્યું કે તેમની પુત્રવધૂએ રેપની જાણકારી સિક્યોરિટી ગાર્ડને પણ આપી હતી.પરંતું સિક્યુરિટી ગાર્ડે તેને ચૂપ રહેવા જણાવ્યું હતું તેથી તે ખુબજ ગભરાઈ ગઈ હતી આમ કોરોના ના માહોલ માં પણ આવો બનાવ સામે આવતા લોકો માં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે અને તટસ્થ તપાસ ની માંગ ઉઠી છે.
