દેશ માં કોરોના કાળ માં પ્રિન્ટ મીડિયા ને 8 મહિનામાં જ ઇન્ડસ્ટ્રીને લગભગ રૂ.12,500 કરોડનું નુકસાન,સરકાર ને રાહત પેકેજ આપવા રજુઆત થઈ છે. દેશ માં લોકો ના અવાજ ને રજૂ કરનાર અખબાર ઉદ્યોગ ઉપર સંકટ ના વાદળો છવાયા છે અને પ્રિન્ટ મીડિયા અનેક મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યું છે તેવે સમયે ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ના પ્રમુખ એલ. આદિમૂલમ દ્વારા કેન્દ્ર સરકાર ને ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવા માગ કરી છે. તેઓ એ જણાવ્યું કે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીની આવક ઘટતાં સમસ્યાઓ ઉભી થઇ છે હાલ માં કોરોના ને કારણે જાહેરાત અને સર્ક્યુલેશન ઉપર પણ ખુબજ ખરાબ અસર થતા અનેક પ્રકાશનો બંધ કરવાની ફરજ પડી રહી છે અથવા કેટલીક આવૃત્તિ અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ છે. જો આ સ્થિતિ રહેશે તો નજીકના ભવિષ્યમાં હજુ વધુ પ્રકાશનો બંધ થઈ જશે. 8 મહિનામાં ઇન્ડસ્ટ્રીને લગભગ 12,500 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે અને વર્ષના અંત સુધીમાં આ નુકસાન 16,000 કરોડ સુધી પહોંચી શકે છે પરિણામે આ ફિલ્ડ સાથે સંકળાયેલા 30 લાખ શ્રમિકો-સ્ટાફ પર અસર થશે
વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ચોથો સ્તંભ ધ્વસ્ત થવાથી એનાં સામાજિક અને રાજકીય ગંભીર પરિણામોની કલ્પના થઈ શકે છે. એનાથી 30 લાખ શ્રમિકો અને સ્ટાફ પર પણ અસર થશે, આ તમામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીઝમાં પત્રકાર, પ્રિન્ટર, ડિલિવરી વેન્ડર અને અનેક સ્વરૂપે કામ કરી રહ્યા છે. ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રી ધ્વસ્ત થવાની વિનાશકારી અસર લાખો ભારતીયો પર પડશે, જેમાં કર્મચારીઓ અને તેમનો પરિવાર તો સામેલ છે, પણ તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો, પ્રિન્ટિંગ પ્રેસ, ન્યૂઝપેપર વેન્ડર અને ડિલિવરી બોય સહિત વિતરણની સપ્લાઈ ચેનની એક બૃહદ ઇકો-સિસ્ટમ પર એની અસર પડશે. દાયકાઓથી આ બધા આજીવિકા માટે આ ઉદ્યોગ પર આશ્રિત છે. સરકાર સમક્ષ માગ કરાઈ છે કે ઇન્ડસ્ટ્રીને અતિ આવશ્યક પ્રોત્સાહન પેકેજ આપવામાં આવે, જેમાં ન્યૂઝપ્રિન્ટ, જીએનપી અને એલડબ્લ્યુસી પેપર પરની સેશ 5 ટકા કસ્ટમ ડ્યૂટી હટાવવી, 2 વર્ષ સુધી ટેક્સ હોલિડે, સરકારી જાહેરાતના દરમાં 50 ટકા વૃદ્ધિ, પ્રિન્ટ મીડિયા પર સરકાર દ્વારા થતા ખર્ચમાં 200 ટકાનો વધારો અને બીઓસી તથા રાજ્ય સરકારોના માધ્યમ દ્વારા અપાતી જાહેરખબરોના વિલંબિત બિલની તરત ચુકવણી કરવી વગેરે સામેલ છે. આમ પ્રિન્ટ મીડિયા ઉદ્યોગ ને બચાવવા સરકાર આગળ આવે તેવી માંગ થઈ છે.
