દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 13 હજારથી વધુ નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ દરમિયાન 19 લોકોના મોત થયા હતા. આસામમાં 14 ફેબ્રુઆરી પછી એક જ દિવસમાં સૌથી વધુ 161 કેસ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા અનુસાર દેશમાં હવે 1,14,475 સક્રિય કેસ છે. દૈનિક ચેપનો દર ઘટીને 2.90 ટકા પર આવી ગયો છે. સોમવારની તુલનામાં નવા કેસોમાં તીવ્ર ઘટાડો થયો છે.
સોમવારે છેલ્લા 24 કલાકમાં 16,135 નવા કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે 13,085 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં વધારો થવાની પ્રક્રિયા ચાલી રહી છે.
રવિવારે 16,103 નવા કેસ મળી આવ્યા હતા, જ્યારે શનિવારે 17,092 અને શુક્રવારે 17,070 નવા કેસ મળી આવ્યા હતા.