પયગંબર મુહમ્મદ પર કથિત ટિપ્પણીને મુસલમાન દેશો સહિત ભારતના મુસ્લિમ સમાજ દ્વારા દેશભરમાં
યુપીથી બંગાળ સુધી વિરોધ પ્રદર્શન શરૂ થયા છે અને ઝારખંડમાં આગચંપીનો બનાવ બન્યો છે.અહેવાલો અનુસાર, લોકોએ મુખ્ય માર્ગ પર વિવિધ સ્થળોએ પોલીસ-પ્રશાસન દ્વારા કરવામાં આવેલા બેરિકેડિંગને તોડવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસ પ્રશાસને તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પોલીસ ઉપર પર જ પથ્થરમારો શરૂ કરતા અહીં કરફ્યૂ લાદવામાં આવ્યો છે.
હવે પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ આ મામલે વિરોધ કર્યો છે.
શુક્રવારે (10 જૂન) કોલકાતાના પાર્ક સર્કસ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા અને પ્રદર્શન કર્યું હતું. જણાવી દઈએ કે આ મામલામાં ભાજપે પહેલા જ નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે અને નવીન જિંદાલને બરતરફ કરી દીધા છે.
પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણીના વિરોધમાં તેલંગાણામાં મક્કા મસ્જિદની બહાર પણ દેખાવો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ નુપુર શર્માને સખત સજાની માંગ કરી હતી.
મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને દેખાવો યોજાયા હતા.