નવી દિલ્હીઃ ભારતમાં જીવલેણ કોરોના વાયરસથી બચવા માટેની અસરકારક રસી આપવા અને તેના સંગ્રહ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલ વિશ્વના ઘણા દેશે પોતાને ત્યા કોરોનાનોં રસીકરણ અભિયાન શરૂ કરી દીધો છે ત્યારે ભારત પણ તેમાં પાછળ રહેવા માંગતુ નથી અને વેક્સીનની કામગીરી પૂરજોશમાં આરંભી દીધી છે.
કોરોનાના રસીકરણ કાર્યક્રમ માટે અતિ મહત્વનો પડાવ વેક્સીનની જાળવણી માટે કોલ્ડ ચેઇન સિસ્ટમ અંગે માહિતી આપતા સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યુ કે, કોવેક્સીનેશન કાર્યક્રમને પૂર્ણ રીતે અસરકારક પૂરો કરવા માટે દેશભરમાં 29,000 કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ, 240 વોલ્ક ઇન કુલર, 70 વોલ્ક ઇન ફ્રીજ, 45000 આઇસ-લાઇન્ડ રેફ્રિજરેટર, 41000 ડીપ ફ્રીજ અને 300 સોલર રેફ્રિજરેટરનો ઉપયોગ કરવામાં આવશે.
સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું કે આ માટે તમામ સાધનો રાજ્ય સરકારોને પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે માહિતી આપતા સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી 15.55 કરોડથી વધુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. દેશમાં સંક્રમણનું પ્રમાણ ઘટીને 6.37 ટકા પર આવ્યું છે. જ્યારે મૃત્યુદર 1.45 ટકા છે. જે દુનિયાના તમામ દેશો કરતા સૌથી ઓછુ છે.નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ આ અઠવાડિયે ભારતમાં જેનોઆ કંપનીની કોવેક્સીનના ક્લિનિકલ ટેસ્ટને મંજૂરી આપી હતી. તેમના જણાવ્યા મુજબ ફાઇઝર અને જેનોઆએ કોવેક્સીન ડેવલેપમેન્ટમાં એક સરખી ટેકનીકનો ઉપયોગ કર્યો હતો.